Abtak Media Google News

આરોપી સહિતના તમામ જે તપાસમાં ખૂલે તેની સામે કાર્યવાહી કરવા અદાલતનો આદેશ

રાજકોટ શહેરના માર્કેટ યાર્ડ પાસે ભરવાડ યુવાનની ગત ઓગષ્ટ માસમાં થયેલી હત્યાના પ્રકરણમાં આરોપીઓ પૈકીનો એક આરોપી પુખ્ત હોવા વતાં કોર્ટમાં સગીર બતાવી અદાલતને ગુમરાહ કરી આરોપીના પિતાએ આગોતરા જામીન અરજી કોર્ટમાં કરતા અદાલતે આ જમીન અરજી રદ્દ કરી હતી અને આરોપી તથા તેના માતા-પિતા ઉર ફરિયાદ દાખલ કરવા સેસન્સ કોર્ટ આદેશ કર્યો છે.

વધુમાં જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ગાંઠિયાના પૈસા દેવા બાબતે ગાંઠિયાવાળા સાથે ઝઘડો કરી રહેલા રવિ કાઠી સહિતના શખ્સોને ભરવાડ યુવાન દિનેશભાઇ હિરાભાઇ ફાંગલિયા સમજાવવા જતા ભરવાડ યુવાન ઉપર રવિ કાઠી સહિતના શખ્સોએ પ્રાણઘાતક હથિયારોથી હુમલો કરતા હત્યા કરી નાખેલ. જે બાબતની મરણજનારના ભાઇ રામદેવભાઇ હિરાભાઇ ફાંગલિયાએ રવિ કાઠી સહિતના શખ્સો ઉપર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હતી જે ગુન્હામાં રવિભાઇ ખાચર (કાઠી), રાહુલભાઇ હુંબલ, અજયભાઇ માનસૂરીયા, સંજયભાઇ ગોહિલની એમ ચાર આરોપીની ધરપકડ પોલીસે કરેલ હતી જયારે અન્ય આરોપી રાજદીપ રવુભાઇ ધાંધલ ધરપકડથી બચવા નાશતો ફરતો હોય જેથી આરોપીના પિતા રવુભાઇ બહાદુરભાઇ ધાંધલનાઓ પોતાના પુત્ર સગીર હોય તેવું દર્શાવીને રાજકોટની સેશન્સ કોર્ટમાં વાલી દરજજે આગોતરા જામીન અરજી કરી હતી.

કોર્ટમાં હું આગોતરા જામીન અરજીમાં આરોપીના પિતા રવુભાઇ બહાદુરભાઇ ધાંધલનાઓએ પોતાનો પુત્ર રાજદીપ રવુભાઇ ધાંધલ બનાવ સમયે સગીર હોય અને સગીરના વાલી દરજજે આગોતરા જામીન અરજી કરેલ જેના આધાર પુરાવા તરીકે તેના પુત્રનું સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરેલ હતું. અને આગોતરા જામીન આપવાની રજૂઆત કરી હતી.

આરોપી સગીર હોવાના પુરાવા બાબતે તપાસ કરનાર અધિકારીને તપાસ કરવાનો હુકમ કરતાં પોલસે આરોપીના જન્મ તારીખનાં દાખલા તથા બીજા પૂરાવાની તપાશ કરતાં આરોપી બનાવ સમયે સગીર નહીં પરંતુ પુખ્ત હોવાનું પોલીસ તપાસમાં ખૂલતાં તે અંગેનો વિગતવારનો રિપોર્ટ બી ડિવીઝન પોલીસે અદાલતમાં રજૂ કર્યા હતા.

જેના અનુષંધાને સેેશન્સ કોર્ટના આરોપીના પિતા રવુભાઇ ધાંધલએ પોતાને પુત્ર બનાવ સમયે પુખ્ત હોવાનું પોતે જાણવા છતાં કોર્ટમાં સાચી માહિતી આપવાને બદલે ખોટી માહિતી આપીને કોર્ટને ગુમરાહ કરીને, ખોટી માહિતી સાચી માહિતી બતાવીને સગીર બતાવીને કોર્ટમાંથી આગોતરા જામીન અરજી કરીને કોર્ટ પ્રોસેસનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરેલ છે તેવું સાબિત માનીને આરોપી  રાજદીપ ધાંધલ તેના પિતા રવુભાઇ ધાંધલ અને તેના માતા સનરાબેન ધાંધલ અને તેની સાથે મદદગારીમાં તપાસમાં ખૂલે તે વ્યક્તિ વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ પ્રદ્ધયુમનનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાનો હુકમ કરેલ છે.

આ કામે મૂળ ફરિયાદી તરફે એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા, સતીષ પી મુંગરા, અશોક એચ. સાસકિયા, પરેશ કુકાવા, લલિત કે. તોલાણી, કશ્યપ ભટ્ટ તથા સરકારી વકીલ તરુણભાઇ એસ. માથુર રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.