Abtak Media Google News

પશ્ર્ચિમ રેલવે રાજકોટ મંડળ દ્વારા ફ્રેટ ઉપભોકતાઓ સાથે ગ્રાહક સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ડીઆરએમ પી.બી. નિનાવે, એડીઆરએમ એસ.એસ. યાદવ, રવિન્દ્ર શ્રીવસ્તાવ, અભિનવ બેફ, નિલમ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વરિષ્ઠ મંડળ વાણીજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ દ્વારા પ્રેઝેન્ટેશન મારફતે વિવિધ ઉપભોકતાઓની ગુડઝ ટ્રાફીક વિસ્તારની સમિક્ષા કરવામાં આવી હતી ફ્રેટ ઉપભોકતાઓએ ગ્રાહક સંવાદ સત્ર દરમિયાન પૂરતા લોડીંગ વેગન ઉપ્લબ્ધ કરવા, તેમજ નવલખી હાપા, વિંડમિલ, મિઠાપુર સહિતના સ્થળોએ ગુડઝ શેડ પર અપ્રોચ રોડ, યોગ્ય માત્રામાં રોશની, પ્લેટફોર્મ પર કવર શેડ બનાવવાનાં સુચનો આપ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભારવિધિ નિલમ ચૌહાણે કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.