Abtak Media Google News

લાઠીના ભૂરખિયા-મેથળી ગામેથી પ્રારંભ: અભિયાન 31 મે સુધી હાથ ધરાશે

લાઠી તાલુકાના ગ્રામ્યમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને જળ સમૃદ્ધ રાજ્ય બનાવવાના નિર્ધાર સાથે સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પ્રારંભ આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભૂરખિયા અને મેથળી ગામેથી કરાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં આ અભિયાન આગામી તા. 31 મે સુધી હાથ ધરાશે. આ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇ તથા નદી પૂન:જીવીત કરવા જેવા વિવિધ કામોનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે.  આ અભિયાન હેઠળ લોકભાગીદારીથી ભૂરખિયા ટ્રસ્ટ તરફ થી તળાવો, ચેકડેમ, જળાશયો ઊંડા કરવામાં આવશે. અભિયાન હેઠળના વિવિધ  રોજગારીનું નિર્માણ થશે. ભુરખીયા ગામમાં સુજલામ સુફલામ ખાતમુહૂર્ત અમરેલી જીલ્લામાં પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કંચનબેન જીતુભાઈ ડેર તેમજ લાઠી તાલુકા પંચાયતના સદસ્ય ચિરાગભાઈ પરમાર, ડે. એન્જિનિયર કાતરીયા, ભુરખીયાના સરપંચ જોરૂભાઈ તથા મેથળીના સરપંચ રામસંગભાઈ તેમજ સમસ્ત ભુરખીયા ગામના આગેવાનો દેવજીભાઈ, ગોપાલભાઈ, વિઠલભાઈ, નરશી ભાઈ, જનકભાઈ, લાલજીભાઈ, ભુપતભાઇ તથા સમસ્ત ગ્રામજનોની હાજરીમાં શુભારંભ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.