પર્વાધિરાજ પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે. જૈન સમુદાય તપ, જપ, આરાધના સાથે તપશ્ર્ચર્યા કરી છે. આ પવિત્ર દિવસોમાં જૈનો ભકિતભાવ પૂર્વક દેરાસરોમાં ભગવાનના અલૌકિક દર્શન કરી ધન્ય બની રહ્યા છે. શહેરનાં અલગ અલગ દેરાસરોમાં રોજે-રોજ મહાપ્રભુજીને અવનવા શણગાર કરાઈ રહ્યા છે. પર્યુષણ પર્વના ચોથા દિવસે જાગનાથ જૈન શ્ર્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ભગવાનને ભવ્ય અંગરચના સાથે ભાવના કરવામાં આવી હતી. ભગવાન મહાવીરની ભકિતમાં અનેક ભાવિકો જોડાયા હતા ભકિત સંગીતનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત શહેરનાં સુપ્રસિધ્ધ નાગેશ્ર્વર દેરાસર (જામનગર રોડ) ખાતે પણ ભગવાનની આંગીના અલૌકિક દર્શન થયા હતા. પર્યુષણ પર્વમાં દેરાસર દરરોજ સાંજે રોશનીથી ઝળહળી રહ્યું છે. રૈયા રોડ ખાતે આવેલા વૈશાલીનગર દેરાસરમાં પણ ભગવાન મહાવીરને હિરા-માણેક જડીત લાખેણી આંગી કરવામાં આવી હતી. ફૂલોનો શણગાર પણ દિવ્ય શોભાયમાન બન્યો હતો. પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં જૈનો દેરાસરમાં જઈ ભગવાનના દિવ્ય દર્શન કરી પવિત્ર બની રહ્યા છે.
Trending
- IPL 2024 : SRH vs MIના મેચમાં તૂટ્યા આ રેકોર્ડ્સ…
- અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં ભાગીદારી વધારી
- Godzilla x Kong બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર…….
- વાંકાનેરના દિઘલીયા ગામે માતા-પિતા અને બહેનના હાથે પ્રેમાંધ સગીરાની હત્યા
- ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે 2 એપ્રિલ અને ફાર્મસીમાં 9મીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન
- કાળઝાળ ગરમી: અમરેલી 41.6, રાજકોટનું 41.3 ડિગ્રી તાપમાન
- તમે પણ હોઠ પર દરરોજ લિપસ્ટિક લગાવો છો!!!
- દિલ્હી CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો