Abtak Media Google News

અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલનાં સમયમાં ઋષીકેશમાં છે અને સોમવારે તેમણે ગંગા આરતીમાં ભાગ લીધો હતો. તે હાલનાં દિવસોમાં ઉતરાખંડમાં રજાઓ ગાળવા માટે પહોંચી છે. તેમણે પરમાર્થ નિકેતનનાં અધ્યક્ષ ચિદાનંદ સરસ્વતી મુની મહારાજ અને સાધ્વી ભગવતી સાથે ગંગા આરતી કરી હતી.

દીપિકાએ ગંગા કિનારે આયોજીત યજ્ઞમાં આહુતી પણ આપી હતી. તે અહીં લોકોથી બચતા બચતા પહોંચી હતી. તેનાં કાર્યક્રમને ખુબ જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો. એટલે સુધી કે મીડિયાને પણ તેની ભનક લાગવા દેવાઇ નહોતી.

જો કે તેમ છતા પણ પત્રકારોની નજરથી તે બચી શકી નહોતી. તે ઉપરાંત મળી રહેલા સમાચારો અનુસાર દીપિકા પાદુકોણ ઉતરાખંડમાં રોકાશે અને તે રાફ્ટિંગ સહિતની વિવિધ રાઇડ્સનો પણ આનંદ માણશે. હાલ તે વેકેશનનાં મુડમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.