Abtak Media Google News

રેત પર કંડારાય  શિવજી અને જી-20ની નયનરમ્ય અને ઉત્કૃષ્ટ શિલ્પ કૃતિઓ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા બે દિવસીય રેતશિલ્પ મહોત્સવનો સોમનાથ બીચ ખાતે વેરાવળ પાટણ નગર પાલીકાના ઉપપ્રમુખ  કપિલ મહેતાના હસ્તે પ્રારંભ કરવામા આવ્યો હતો.

આ રેતશિલ્પ મહોત્સવની મુખ્ય થીમ મહાશિવરાત્રી છે. રેતશિલ્પકાર નથુભાઈ ગળચર દ્વારા મહાશિવપુરાણમાં ભગવાન શિવ પારધીને પ્રસન્ન થયા તે મહત્વનું નિદર્શન કરતુ શિલ્પ કંડારવામાં આવ્યુ હતુ. જે આગવી ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવે છે. તેમજ અન્ય  રેતશિલ્પકારોએ અદભુત કળાથી ભગવાન શિવજી અને જી-20ને લગતા વિવિધ પ્રકારના શિલ્પ બનાવીને પોતાની આગવી  કળા પ્રદર્શિત કરી હતી તથા શિવજીના જુદા જુદા રુપો રેતશિલ્પમાં મૂર્તિમંત કર્યા હતા. આ રેતશિલ્પ મહોત્સવમાં 20 થી 25 કલાકારોએ ભાગ લીધો હતો.

આ તકે લલિત કલા અકાદમીના સચિવ  તેજાભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રેતશિલ્પ કલાકારોને સંસ્કૃતિની આગવી ઓળખ ઉજાગર કરવાની તક મળે તેમજ પ્રવાસન સ્થળ સોમનાથ ખાતે  શિવરાત્રી પર્વ પર મહાદેવના દર્શન કરવા આવતા ભક્તજનો અને પ્રવાસીઓને ભારતીય સંસ્કૃતિ તથા રેતશિલ્પ કલા વિશે વધુ જાણકારી મળે તેમજ રેત શિલ્પ કલાકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.