Abtak Media Google News

નંદનવન મેઇન રોડ પર શ્રીરામ ચાઇનીઝ એન્ડ પંજાબીમાં ચેકીંગ દરમિયાન વાસી મન્ચુરીયન, કાપેલા શાકભાજી અને પનીર સહિત 13 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

કોર્પોરેશનના ફૂડ વિભાગને મળેલી ફરિયાદના આધારે શહેરના આજી ડેમ ચોકડી પાસે આવેલા દિનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નં.6માં માન સરોવર પાર્કમાં કલ્પેશ ટ્રેડર્સ નામની પેઢીમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચેકીંગ દરમિયાન અહીં અનહાઇજેનીંક રીતે સંગ્રહ કરવામાં આવેલા 60 કિલો જેટલા વાસી દાબેલા ચણાનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને યોગ્ય સ્ટોરેજ જાળવણી બાબતે વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ ઉપરાંત અન્ય એક ફરિયાદના આધારે શહેરના નંદનવન મેઇન રોડ પર માર્વેલ હોસ્પિટલની બાજુમાં આવેલા શ્રીરામ ચાઇનીઝ એન્ડ પંજાબીમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જ્યાં તપાસ દરમિયાન વાસી મન્ચુરીયન, વાસી કાપેલા શાકભાજી અને પનીર સહિત કુલ 13 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.