Abtak Media Google News

પ્રથમ પુણ્યતિથિ નિમિતે વિવિધ ધર્માનુષ્ઠાનનું આયોજન

સ્થાનકવાસી જૈન સંઘ પડધરી ખાતે પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી  પૂ. ગુણીબાઇ મ.સ., પૂ. લીનાજી મ.સ. ની નિશ્રામાં પડધરીના પુત્રીરત્ના, પડધરીમાં પૂ. રંભાબાઇ મ.સ., ના પરિવારમાં દીક્ષીત બા.બ્ર. પૂ. તારાબાઇ મ.સ.ની પ્રથમ પુણ્યતિથિ નીમીતે વિવિધ ધર્માનુષ્ઠાનનું આયોજન કરાયેલ છે.

તા. 1-5-22 ને રવિવારે સવારે 9.30 કલાકે ડુંગર દરબાર લોહાણા મહાજન વાડી વાણીયા શેરી ખાતે ગુણગરિમા ગુણાંજલી સમારોહ યોજાયેલ છે.

પૂ. તારાબાઇ મ.સ. નો જન્મ તા. 28-11-36 ના પ્રાણશંકર વાઘજી દેસાઇ અને ચંદનબેનના ગુહાંગણે કલકતામાં થયેલ. પડધરીમાં તા. 28-4-1960 અખાત્રીજના પારસ મૈયાના હસ્તે દીક્ષા અંગીકાર કરેલ.

આકોલા, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, મુંબઇ, સૌરાષ્ટ્રમાં વિચરણ  કરેલ. ગત વર્ષ  ઇન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ, નરભેરામ પાનાચંદ મહેતા ઉપાશ્રયે તા. 12-5-21 ના વૈશાખ સુદ-1 ના સમાધિભાવે કાળધર્મ પામ્યા હતા. પડધરી સંઘ પ્રમુખ સુભાષભાઇ પટેલની યાદીમાં ભાવિકોને પધારવા અનુરોધ કરાયો છે સમારોહ બાદ સંઘ જમણ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.