Abtak Media Google News

સંજય ડાંગર, ધ્રોલ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બોર્ડ ઓફ એકાઉન્ટ ની ચૂટણી મા ભારતીય જનતા પાર્ટી ની પેનલ માથી રાજભા જાડેજા બિન હરીફ ચુટાઈ આવેલ છે.હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં ચુટણી નો ધમધમાટ ચાલી ત્યારે બોર્ડ ઓફ એકાઉન્ટ ની ચુંટણી માં ત્રણ પ્રતિનિધિ ચુટવા ના હોય છે જેમાં કુલ પાંચ ફોર્મ ભરવા માં આવેલ હતા .ડો.રાજદિપ સિંહ જાડેજા ડો.લિલાભાઈ કડછા .ડો.રાજેન્દ્ર સિંહ જાડેજા .ડો્.ક્રીપાલ સિંહ પરમાર અને રશમિન પટેલ જેમાં ડો.રાજદિપ સિંહ જાડેજા અને ડો.લિલાભાઈ કડછા દ્વારા ફોર્મ પરત ખેંચી લેતા ડો.રાજેન્દ્ર સિંહ જાડેજા ડો.ક્રિપાલ સિંહ પરમાર.તેમજ રશ્મિન પટેલ બિનહરીફ ચુટાઈ આવેલ હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહત્વ ની કહી શકાય એવિ આ બેઠક જેમાં યુનિવર્સિટી નિ લેણદેણ ની તમામ પ્રકારની વહીવટી પ્રક્રિયા ની જવાબદારી હોય છે એવિ આ બોર્ડ ઓફ એકાઉન્ટ ની સિટ પર છેલ્લા પંદર વર્ષ થી કાયમ માટે રાજભા જાડેજા નુ વર્ચસ્વ રહેલ છે અને આજ ફરી આ સિટ પર બિનહરીફ થતા તેવો એ આ બેઠક પર પોતાનો દબદબો જાડવી રાખ્યો છે તેવુ રાજભા જાડેજા ની યાદી જણાવ્યુ હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.