Abtak Media Google News

ભાજપ સરકાર વિરૂધ્ધ વ્યાપક સુત્રોચ્ચાર: રેલી કાઢી વિરોધ પ્રદર્શન

ધ્રોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ” જન ચેતના” આંદોલન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાયેક્રમ માં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયા તથાનાં મેમ્બર્સ શ્રીમતી શહેનાઝબેન બાબી તથા  ધારાસભ્ય  પ્રવીણભાઈ મુછડીયા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિશાન સેલ નાં વાઇસ ચેરમેન  કણેદેવસિહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહિલા સહારાબેન મકવાણા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન)  કે.પી.બથવાર તથા જામનગર જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખી નયનાબા જાડેજા તથા પુજાબા જાડેજા તથા પૂર્વ પ્રમુખ શ્રીમતી રીટાબા જાડેજા તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા તથા ધ્રોલ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ  અદનાનભાઈ ઝન્નર તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ  જીજુભા જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અમિનભાઈ ઝન્નર તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ આગેવાન  ગોવિંદભાઈ પટેલ તથા  જામનગર જીલ્લા ઓબીસી ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ  કલ્પેશભાઈ હડીયલ તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ અનુ.જાતિ.ના ચેરમેન  રમેશભાઈ વરણ તથા તથા જયેન્દ્રસિહ જાડેજા તથા નસિમબેન તથા શિરીનબેન તથા ધ્રોલ તાલુકા નાં વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો   ખુબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાયેક્રમ માં ધ્રોલ શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સૌપ્રથમ વંદેમાતરમ્ ગીત થી કાયેક્રમ ચાલુ કરેલ ત્યાર બાદ ” કોરોના મહામારી” જે  લોકો મૃત્યુ પામ્યા છે તેનાં  માન માં બે મિનિટ મૌન રાખી શ્રધ્ધાંજલિ અર્પણ કરી ને કાયેક્રમ નો દોર આગળ વધારેલ આ કાયેક્રમ જે વરિષ્ઠ આગેવાનો  એ કોંગ્રેસ સમિતિ માં કામ કરેલ છે તેઓને આવકારવા માં આવેલ તેમજ જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા સાહેબ દ્રારા પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા દરેક આગેવાનો ને  જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ ધ્રોલ શહેર/ તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી મીટીંગ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.દરેક હોદેદારો અને કાર્યકરો નાં સુચનો અને ઠરાવો ને વાંચીને દરેક હોદેદારો ઓએ હાથ ઉંચા કરીને  ટેકો આપ્યો હતો. અને આ  ભાજપ સરકાર નાં અણઘડ વહીવટ અને દરેક ક્ષેત્રમાં ફેઈલ થયેલ સરકાર ને જાકારો આપવા નો સમય આવી ગયો છે/

ત્યારે ખેડૂતો નાં પ્રાણ પ્રશ્નો તથા બેરોજગારી તથા પેટ્રોલ અને ડીઝલ નાં અસહ્ય ભાવ વધારા તથા શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ તેમજ અનાજ કઠોળ,દુધ  અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ભાવો આસમાને પહોંચ્યા ત્યારે આ કુંભકર્ણની સરકાર ને ઢંઢોળવા નો ફરી પ્રયત્ન કરેલ ,આ સરકાર ની અણ્આવડત નો ભોગ પ્રજાજનો બનતા જાય છે તેનાં અનુસંધાને ધ્રોલ તાલુકા/ શહેર કોંગ્રેસ સમિતિ ના દ્વારા ભવ્ય રેલી યોજી અને   રેલી નાં સ્વરૂપે ઝંડા અને બેનરો સાથે સુત્રોચ્ચાર કરી આ ભાજપ સરકાર ની વિરુદ્ધ  સુત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને  પુષ્પાંજલિ અર્પણ કરી ને આ ભ્રષ્ટાચારીને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિના વિવિધ ફ્રન્ટ્રલ સેલ મોરચાના હોદેદારો અને કાર્યકરો સાથે સમીક્ષા બેઠક યોજી જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયા  વિગતવાર માહિતી આપી અને નવી બોડી ની નિમણૂક કરવા અંગેની માહિતગાર કર્યા હતા. અને છેલ્લે જે લોકો કોરોના મહામારી માં મૃત્યુ પામ્યા હતા તેમનાં પરિવારજનો ને સાન્ત્વન આપવા મૃતક પરિવાર ના નિવાસસ્થાને ગયા હતા.

આ કાયેક્રમ નું સંચાલન  કે.પી.બથવારે  કરેલ હતું અને સંકલન જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઓબીસી ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ શ્રી કલ્પેશભાઈ હડીયલ એ કર્યું હતું ની યાદી મા જણાવ્ય હતુ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.