Abtak Media Google News

નર્મદાના કેનાલમાં ડુબી જતા પ્રૌઢનું મોત

 

મોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવ બનવા પામ્યા છે વાંકાનેરના ઢુવા ખાતે આવેલ સીગ્નેચર સીરામીકમાં કામ કરતા સુનીલભાઇ ગોહેલનો સાત વર્ષિય બાળક કિશન રમતા રમતા કારખાનાની માટી ખાતામાં હોપર ખાડા પાસે આવતા અકસ્માતે તેમા પડી જતા માટીમાં દબાઇ જતા તેનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જેને લઇ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

હળવદનાં કંસારી હનુમાનજી મંદિર પાસે નર્મદા કેનાલના નાળામાંથી અજાણ્યાં પુરુષની લાશ મળી આવી હતી. જેને લઇ સ્થાનિકોએ હળવદ પોલીસને જાણ કરી હતી. ત્યારે લાશ મળ્યા અંગે પોલીસને જાણ થતાં જ તેઓએ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મૃતક ત્રણ-ચાર દિવસ પહેલા નર્મદા કેનાલના પાણીમાં ડુબી જવાના કારણે મરણ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.