Abtak Media Google News

આયુર્વેદ શાખા દ્રારા ૮ આયુર્વેદ દવાખાનામાં ૬૭૭૭૫ લોકોને ઉકાળાનું વિતરણ, ૬ હોમિયોપેથીક દવાખાનામા ૬૭૮૨૪ દવાનું વિતરણ

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસ પ્રતિરોધક ઉકાળા અને હોમીઓપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ આયુર્વેદ શાખાના નિયંત્રણ હેઠળ આવેલ ગીર સોમનાથ જિલ્લાના ૮ આયુર્વેદ દવાખાનામાં ૬૭૭૭૫ લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

0A01Fe08 0E2C 4523 Abec 33E85A1A5Cc5

જિલ્લાના ૬ હોમિયોપેથીક દવાખાનામાં ૬૭૮૨૪ લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ ૧૩૫૫૯૯ લોકોને કોરોના વાયરસ પ્રતિરોધક ઉકાળા અને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

A4Ea5C7A C4D9 4D89 A5A1 E96Fc6Cdacfa

નિયામકશ્રી આયુષ, આયુષ કચેરી, ગાંધીનગર દ્રારા અપાયેલ સુચના મુજબ આયુર્વેદ દવાખાના તરફથી પથ્યાદી અને દશમુલ ક્વાથ તથા ત્રિકટુ ચૂર્ણથી ઉકાળા બનાવી તેમજ ઉકાળા માટેના ઔષઘોના પેકેટ તૈયાર કરી દવાખાના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર, તાલુકા કક્ષાએ વિતરણ કરાયું હતું.

Ebf7C0Ab D1F7 4Fed 8933 Db1D02Aed181

લોકોને આયુર્વેદ સંહિતાઓ પ્રમાણે ત્રશ્ર્તુચર્યા મુજબનું પથ્યપાલન, આહાર-વિહારની સમજણ આપવામાં આવી હતી. જિલ્લાની ૬ હોમીઓપેથિક દવાખાના દ્રારા કોરોના વાયરસના પ્રતિરોધક માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય, દિલ્હીની ગાઈડ લાઈન મુજબ Arsenicum album નું વિતરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.