Abtak Media Google News

વડાપ્રધાનપદે નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સાંજે ૭:૦૦ કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથગ્રહણ કરવાનાં છે. આ તકે ઉપસ્થિત રહેવા માટે ગુજરાતનાં તમામ જિલ્લાઓ અને મહાનગરોનાં પ્રમુખોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા મોદીની તાજપોશીમાં હાજર રહેશે. તેઓ આજે બપોરે દિલ્હી જવા માટે રવાના થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડાપ્રધાનનાં શપથગ્રહણ સમારોહમાં રાજય સરકારનાં બોર્ડ નિગમનાં ચેરમેન, સંગઠનનાં હોદેદારો, લોકસભા બેઠકનાં પ્રભારી, ઈન્ચાર્જ અને વિસ્તારકો ઉપરાંત જે-તે જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી કોઈ કારણોસર હાજરી આપવાના નથી. દરમિયાન સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર રાજકોટ જિલ્લા ભાજપનાં પ્રમુખ ડી.કે.સખીયા આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.