- કાઠી ક્ષત્રિય સમાજના અસ્થાના કેન્દ્ર
- વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં બિડુ હોમવામાં આવશે સાથે ઉપવાસના સાડા ત્રણ દિવસના પારણા કરવામાં આવશે, મોટી સંખ્યામાં સૂર્ય ઉપાસકો ઉમટશે
નવા સુરજદેવળ મંદિર એટલે કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર અને એકતાનું પ્રતિક જેમાં ભગવાન સૂર્યનારાયણની આસ્થાએ વર્ષોથી ચાલી આપતી પરંપરા એટલે કે સાડા ત્રણ દિવસના ઉપવાસ હોય છે ,જેમાં નાના બાળકોથી વડીલો ઉપવાસ રહેતા હોય તેમ જ માતાઓ બહેનો પણ ઘરે રહીને ઉપવાસ કરતા હોય છે જેમાં સાડા ત્રણ દિવસ ફક્ત પ્રવાહી ઉપર જ રહેવાનું હોય છે અને પૂરી શ્રદ્ધા ભક્તિ ભાવથી ઉપાસના અને ઉપવાસ કરીને ભગવાન સૂર્યનારાયણને રીઝવવાના હોય છે, ચોટીલા તાલુકાના નાવા ગામેથી સૂર્ય રથ તેમજ ધોડેસ્વારો સાથે શોભાયાત્રા ની શરૂઆત પ્રારંભ થઈ ચૂક્યો છે તેમજ જેમાં ચોટીલા રાજવી પરિવાર બળવીરભાઈ ખાચર , જયદીપભાઇ અને જયવીરભાઈ નાવા ગામ સમસ્ત સૂર્ય રથયાત્રાની નવાગામના રામજી મંદિર થી સામૈયા કરી અને વાજતે ગાજતે ધામધૂમ પૂર્વક રથયાત્રાનું નવા સુરજદેવળ તરફ પ્રસ્થાન કરાવ્યું હતું અને સેવાનો લાભ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં સૂર્ય ઉપાસકો ઘોડેશ્વારો તેમજ મોટી સંખ્યામાં જનમેદની સાથે શોભાયાત્રી નીકળી હતી જેમાં ચોટીલા રાજવી પરિવારના જયવીરભાઈ દાદાબાપુએ સૂર્યનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી નવા સુરજદેવળ મંદિર મુકામે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું,આવતીકાલે રાત્રે 9:30 કલાકે નવા સુરજદેવળ મંદિર ગૌશાળા ના લાભાર્થે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકારો ડાયરાની રમઝટ બોલાવશે,તારીખ 1.5.2025 ના રોજ બપોરે 12:30 કલાકે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો શ્વાર સાથે યજ્ઞમાં સૂર્ય ઉપાસકો દ્વારા બિંડુ હોમવામાં આવશે ત્યાર પછી ઉપવાસના સાડા ત્રણ દિવસના પારણા કરવામાં આવશે. તમામ ઉપવાસી વડીલો ભાઈઓ તેમજ દર્શનાર્થીઓ મહાપ્રસાદ લઈ અને ધન્યતા અનુભવશે,ઉપવાસ પર્વ નિમિત્તે ચાલનારા સાડા ત્રણ દિવસના કાર્યક્રમમાં પૂજ્ય સંતો મહંતો. ચારણ જગદંબાવો તેમજ સામાજિક. રાજકીય આગેવાનો ઉપવાસના દિવસોમાં દર્શનાર્થે પધારતા હોય છે તેમજ મોટી સંખ્યામાં કાઠી દરબારો મંદિર પટાગણમાં રહીને જ ઉપવાસ સાથે નામજાપ સાથે 24 કલાક માળા ફેરવતા હોય છે અને ઉપાસના કરતા હોય છે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય અને આરતીનો લાભ લેતા હોય છે.