કેટલીક વસ્તુઓ સાથે દહીંનું સેવન કરવાથી શરીરને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ આવી 6 વસ્તુઓ વિશે જેની સાથે દહીં ન ખાવું જોઈએ.
- દહીં હેલ્થ માટે અત્યંત લાભકારી છે
- દહીં સાથે કેટલીક વસ્તુઓ ખાવાનું અવોઈડ કરવું જોઈએ
- દહીં ખાઈને કેટલીક વસ્તુઓ ખાવાથી બોડીમાંથી ટોક્સિન્સ વધવા લાગે છે
રોજ દહીં ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. દહીંમાં રહેલાં તત્વો અપચો, ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓમાં ફાયદાકારક હોય છે. પણ દહીં સાથે કેટલીક વસ્તુઓ ખાવાનું અવોઈડ કરવું જોઈએ, કારણ કે તેનાથી દહીંના ફાયદા મળતાં નથી અને નુકસાન થાય છે. દહીં ખાઈને કેટલીક વસ્તુઓ ખાવાથી બોડીમાંથી ટોક્સિન્સ વધવા લાગે છે. જેના કારણે પેટમાં ગરબડ, ઊલટી, ગભરામણ જેવી સમસ્યા થાય છે.
ડુંગળી અને દહીં-
આયુર્વેદમાં ડુંગળી સાથે પણ દહીં ખાવાની મનાઈ છે. ડુંગળીની તાસીર ગરમ હોય છે. તો વળી દહીં કુલેંટનું કામ કરે છે. એટલા માટે બંને વિરુદ્ધ આહાર થઈ ગયા. બંનેને એક સાથે ખાવાથી એલર્જી, એક્ઝિમા, સોરિએસિસ અને રેશેઝ નીકળી શકે છે. જો કે, મેડિકલ સાયન્સમાં તેનો કોઈ ઉલ્લેખ નથી.
ઓયલી ફુડ-
દહીં સાથે વધારે તળેલી વસ્તુઓ જેમ કે છોલે ભટૂરે, પરાઠા , પુરી વગેરેનું સેવન કરવું જોઈએ નહીં. તેનાથી ડાઈઝેશનનો પ્રોબ્લેમ થઈ શકે છે. આ વસ્તુઓને દહીં સાથે ખાવાથી શરીરમાં આળસ થઈ શકે છે. તેનો પણ મેડિકલ સાયન્સમાં ઉલ્લેખ નથી.
કેરી- દહીં
કેરી- દહીંની સાથે કેરી ખાવી પેટમાં ભારે તબાહી મચાવી શકે છે. દહીં અને કેરી સાથે ખાવાથી પેટ ફુલી શકે છે અને તેનાથી ખૂબ વધારે ગેસ બની શકે છે. કેમ કે કેરીની તાસીર ગરમ હોય છે અને દહીંની ઠંડી. એટલા માટે બંને વિરુદ્ધ આહાર થઈ ગયા. તેથી ડાઈઝેશનની તકલીફ થઈ શકે છે. તેનાથી સ્કિન પર રેશેઝ આવી શકે છે. બંને એક સાથે મળીને ખાવાથી ટોક્સિન પણ બની શકે છે.
દૂધ અને દહીં
દૂધ અને દહીં- માનવામાં આવે છે દૂધ અને દહીં એક સાથે ન ખાવા જોઈએ. બંને એક સાથે ખાવાથી એસિડિટી, હાર્ટ બર્ન અને પેટ ફુલાવાની સમસ્યા થઈ શકે છે.
કાકડી રાયતા
આયુર્વેદમાં કહેવાયું છે કે દહીં અને કાકડીને ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ. આને એકસાથે ખાવાથી લાળ અને કફ જેવી સમસ્યા થઈ શકે છે. તેના કારણે સાઇનસ કન્જેશન પણ થઇ શકે છે. તેથી કાકડી અને દહીં હંમેશા અલગ-અલગ ખાવા જોઈએ.
દહીં અને ફળો
દહીં ભારે અને ખાટા હોય છે, જ્યારે ફળો સામાન્ય રીતે હળવા મીઠા હોય છે. બંનેના ગુણો સાવ વિપરીત છે. જ્યારે બંને એકસાથે ખાવામાં આવે છે, ત્યારે તે પાચનની અગ્નિ ઘટાડવાનું કામ કરે છે. જેના કારણે શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન થઈ શકે છે.
દહીં અને શુદ્ધ મીઠું અથવા ખાંડ
દહીંમાં રિફાઈન્ડ મીઠું કે ખાંડ ક્યારેય ભેળવી ન જોઈએ. બંને વસ્તુઓમાં પોષણ નથી મળતું, તેથી તેને દહીંમાં ભેળવીને ખાવાથી બેક્ટેરિયા ઓછા થાય છે, દહીંથી કોઈ ફાયદો પણ થતો નથી.
(Disclaimer: આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે, અબતક મીડિયા તેની પુષ્ટિ કરતું નથી, કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટર્સનો સંપર્ક કરવો)