Abtak Media Google News

સીબીએસઇએ 10 અને 12માં ધોરણના વર્ગના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશને પરીક્ષા કેન્દ્રને લઈને મોટી મંજૂરી આપી છે હવેથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તેમનું એક્ઝામ સેન્ટર બદલી શકે છે. બોર્ડે તેની સત્તાવાર વેબસાઇટ ભબતય.લજ્ઞદ.શક્ષ પર માહિતી પ્રકાશિત કરી છે.બોર્ડ દ્વારા પ્રકાશિત માહિતી મુજબ બોર્ડ પરીક્ષાઓ (વર્ગ 10 અને ધોરણ 12) ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર બદલી શકે છે. બોર્ડના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ એક અલગ કેન્દ્રથી પ્રાયોગિક અને લેખિત પરીક્ષા માટે અરજી કરી શકે છે, જેને વિદ્યાર્થીઓ તેમના પરીક્ષા કેન્દ્રમાં બદલવા માંગે છે. તેઓએ આ માટે આજ રાત સુુધીમાં તેમની સંબંધિત શાળાઓમાં અરજી કરવાની રહેશે.બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી મુજબ, શાળાઓએ વિદ્યાર્થીઓ દ્વારા કેન્દ્ર બદલી લેવા માટેની અરજી 31 માર્ચ સુધીમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે. હકીકતમાં, કોરોના સંક્રમણના કારણે, ઘણા વિદ્યાર્થીઓ તેમના પરિવારોથી બીજા શહેરોમાં સ્થળાંતર થયા છે. આવી સ્થિતિમાં, વિદ્યાર્થીને પહેલેથી ફાળવેલ કેન્દ્રોમાં પરીક્ષા આપવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને બોર્ડે પરીક્ષા કેન્દ્ર બદલવાની મંજૂરી આપી દીધી છે.

પરીક્ષા કેન્દ્ર બદલવા માટે, વિદ્યાર્થીએ પ્રથમ તેની શાળામાં અરજી કરવી આવશ્યક છે. આ ઉપરાંત, વિદ્યાર્થીએ તે શાળાને પણ જાણ કરવી આવશ્યક છે જ્યાંથી તે વ્યવહારિક અને લેખિત પરીક્ષા આપવા માંગે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે સીબીએસઈની 10માં ધોરણની પરીક્ષા 4 મેથી 7 જૂન, 2021 દરમિયાન લેવામાં આવનાર છે, અને 12માં ધોરણની પરીક્ષા 4 મેથી 14 જૂન, 2021 સુધી યોજાવાની છે. નિયત તારીખ બાદ પરીક્ષા કેન્દ્ર બદલવાની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.