Abtak Media Google News

રાજકોટમાં યુવા ભારત (પતંજલિ યોગ સમિતિ સાઉથ ગુજરાત) , રાજકોટ યોગાસનના સ્પોર્ટ્સ એસોસિયેશન તથા રાજર્ષિ યોગ એકેડમી રાજકોટ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે સૂર્ય આરાધના માટે 108 સૂર્ય નમસ્કાર, યજ્ઞ તથા  મેડિટેશન નું ભવ્ય આયોજન સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર ૧ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર કરવા માટે જોડાયા હતા

સૂર્ય નમસ્કારથી અને ફાયદાઓ થાય છે નમસ્કાર કરવાની ટેવ પાડી લો તો ૩૦ દિવસમાં તમારો પાંચ કિલો વજન ઉતરી શકે છે એવું નથી કે માત્ર સૂર્ય નમસ્કારથી વર્ઝન જ ઉતારી શકાય છે પરંતુ સાંધાના દુખાવો પણ મટી શકે છે સૂર્ય નમસ્કાર તમારા મગજની એકાગ્રતા વધારે છે તમને માનસિક શાંતિ આપે છે તમારા શરીરને લચીલું બનાવે છે તમારા ચહેરાનું તેજ વધે છે

દરેક યોગાસન પોતાનું અલગ-અલગ મહત્વ ધરાવે છે ત્યારે સૂર્ય નમસ્કાર બધા આસનમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે યોગાસનમાં સંપૂર્ણ શરીરનું પણ સારું યોગ્ય અભ્યાસ થાય છે આ અસરને દરરોજ કરવાથી શરીર નિરોગી અને બળવાન બને છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.