Abtak Media Google News

ગાંધીજીના ઘણા સિઘ્ધાંતો વિશે આપણે સૌએ વાંચ્યુ હશે, તેમના કેટલાક સિઘ્ધાંતો આપણે અપનાવ્યા પણ હશે. મહાત્મા ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી હતા. તે અસત્ય અને હિંસાના સમર્થક ન હતા. તેમના ત્રણ વાંદરા વિશે આપણે સૌએ સાંભળ્યું હશે. પણ આ ત્રણ વાંદરાનો તેની સાથે કેવી રીતે લગાવ થયો તે બહુ ઓછા જાણતા હશે, ગાંધીજીના સિઘ્ધાંતોને લીધે તે દુનિયાભરમાં પ્રસિઘ્ધ  થયા હતા. તેમને મળવા વિશ્ર્વભરમાંથી લોકો આવતા.

એકવાર ચીનના પ્રતિનિધિ મંડળ તેમને મળવા આવ્યું ને મૂલાકાત બાદ તેમણે મહાત્માને ત્રણ વાંદરાની મૂર્તિ ભેટ આપી હતી. એ સમયે ચીનમાં એ રમકડાની બહુ બોલબાલા હતી, બાપુને પણ આ રમકડું ખુબ જ પ્યારૂ હતું. ત્રણેય વાંદોરાના જાપાનીઝ ભાષામાં નામ છે. યુનેસ્કોએ તેની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં આ રમકડાને સ્થાન આપ્યું છે. જાપાનમાં વાંદરાને બહુ જ બુઘ્ધીશાળી માનવામાં આવે છે. ત્યાંનો શિન્ટો સંપ્રદાય તેને ખુબ સન્માન આપે છે. વાનર પ્રાણી સમગ્ર વિશ્ર્વમાં જોવા મળે છે. તે 10 થી ર0 ના ટોળામાં રહે છે. જેમાં મોટોનર સરદાર તરીકે ફરજ બજાવીને સમગ્ર ઝુંડનું રક્ષણ કરે છે, સવાર-સાંજ ખોરાક શોધવા પણ નીકળે છે. મોટાભાગે વાંદરા બપોરે ઝાડ પર વિશ્રામ કરે છે. ફળવાળા વૃક્ષો પર વધુ જોવા મળે છે કારણ કે તેમને ત્યાંથી જ સરળતાથી ખોરાક મળી શકે છે. તે જમીન ઉપર લાંબો સમય બેસતા નથી.  તેમનું આયુષ્ય રપ વર્ષ જેટલું

હોય છે, લંબાઇ 110 સે.મી. અને ઉંચાઇ 7પ સે.મી. બેસેલ અવસ્થામાં જોવા મળે છે.વાંદરાનું વજન 1પ થી ર0 કિલો જેટલું હોય છે. તેમનો સંવનન કાળ ઉનાળો છે. ગર્ભ કાળ 6 માસનો હોયને શિયાળામાં બચ્ચાને જન્મ આપે છે. માદા સાડા ત્રણ વર્ષે અને નર 4 વર્ષે પુખ્ત થઇ જાય છે. વાંદરા મોટાભાગે આછા જંગલો અને માનવ વસ્તી નજીક ઝાડીવાળો વિસ્તાર રહેણાંક માટે પસંદ કરે છે.

ગાંધીજીના ત્રણ વાંદરાના નામોમાં પ્રથમ વાંદરો કીકાઝા રૂ જે બંને હાથોથી કાન ઢાંકીને ખરાબન સાંભળવાની વાત કહે છે. બીજો વાંદરો મિઝારૂ જે બંને હાથોથી આંખો ઢાંકીને ખરાબ ન જોવાની વાત કરે છે. ત્રીજો વાંદરો ઇવાઝારૂ જે બન્ને હાથોથી ઢાંકીને ખરાબ બોલવું નહી તેવી વાતનો સંદેશ આપે છે. સાબરમતિના હ્રદય કુંજમાં આ ત્રણ વાંદરાની મૂર્તિ આજે પણ છે.

વાંદરોએ એક મેરૂ દંડ ધારી સસ્તન પ્રાણી છે. તે મોટા કુદકા મારી તેના હાથ વડે લટકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાલે છે. કોઇપણ પ્રાણી સંગ્રહલયમાં વાંદરા સૌથી લોકપ્રિય  હોય છે. આ પ્રાણીઓનું અવલોકન કરો તો તમામ વર્તુણક આપણા જેવી જોવા મળે છે. વાંદરા નાના અને મોટા હોય છે. સાવનાનો પિગ્મી વાનર અને સૌથી મોટો ગોરીલા વાનર છે. તેમના શરીર કરતાં પૂંછડી લાંબી હોય છે. કેટલાક વાનરની પ્રજાતિમાં પૂંછડી હોતી નથી. વાંદરાઓનું મગજ ખુબ જ સચેત હોય છે. તે આપણે તેને તાલીમ આપીએ તો બધુ જ શીખી જાય છે. જુના વિશ્ર્વના અને નવા વિશ્ર્વમાં વાંદરાની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. આફ્રિકા અને એશિયામાં તે વધુ જોવા મળે છે. દક્ષિણ યુરોપમાં એક માત્ર જંગલી વાનરો રહે છે. જાુના વિશ્ર્વમાં તેની 80 થી વધુ જાતો જોવા મળે છે. 1970 ના દાયકાથી વાનરો ઉપર વિસ્તૃત સંશોધન કાર્યકમ શરૂ કરવામાં આવ્યા હતા.આપણે સૌ લગભગ વાંદરા, મકાક, બબૂન, ગોરીલા અને ઓરંગુટન્સથી પરિચિત છીએ. આ જાત લગભગ દરેક પ્રાણી ઘરમાં જોવા મળે છે. વાંદરા ખુબ જ વિકસીત પ્રાણી છે તે વિવિધ અવાજોના માઘ્યમથી એકબીજા સાથે વાતો કરે છે, તેમની ઇચ્છા અને લાગણી વ્યકત કરે છે. રીસસવાનર, હમાડ્રિલ, બ્લેક હોલર, ચિમ્પાન્જી, ગોરીલા, વ્હાઇટગી બોન, ઓરંગુટાન, ટેસ્ટીરન્સ કસ્ટર્ડ, સોનેરી વાંદરા, બાલ્ક ઉકરી, રાઇનો પીથેકસ લંગુર જેવી વિવિધ પ્રજાતિના વાંદરા વિશ્ર્વમાં જોવા મળે છે. તે 100 થી વધુ પ્રકારના અવાજો કાઢે છે. વાંદરાની 400 થી વધુ જાતિઓમાં દેખાવમાં ભિન્ન છે, નિવાસ સ્થાન પોષણની જરૂરિયાત ભીન્ન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.