Abtak Media Google News

ડકવર્થ લૂઈસના આધારે સ્કોર બરાબર હોવાના કારણે મેચ ટાઈ થઈ: મેન ઓફ ધ સિરીઝ સૂર્યાકુમાર યાદવ

 

ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં કંગાળ પ્રદર્શન બાદ ભારતીય ટીમને અંતિમ ખુશીની એક તક મળી છે. ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી ત્રણ ટી20 મેચની સીરિઝ 1-0થી જીતી લીધી છે. ખરાબ હવામાનના કારણે મંગળવારે ત્રીજી અને અંતિમ ટી20 મેચ અધવચ્ચે જ રોકવી ડી હતી. જ્યારે નિર્ધારીત સમય સુધી મેચ શરૂ થઈ શકી ન હતી અને ડકવર્થ લૂઈસના આધારે સ્કોર બરાબર હોવાના કારણે મેચ ટાઈ થઈ હતી. આ સાથે ભારતે 1-0થી શ્રેણી જીતી લીધી હતી. સીરિઝની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. તેમાં ટોસ પણ શક્ય બન્યો ન હતો. જ્યારે બીજી મેચમાં ભારતનો 65 રને વિજય થયો હતો. ભારતના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતીય ટીમ સામે 161 રનનો લક્ષ્યાંક હતો જેના જવાબમાં હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમે ચાર વિકેટ 75 રન નોંધાવ્યા હતા. દીપક હૂડા 9 અને હાર્દિક પંડ્યા 30 રન નોંધાવીને રમતમાં હતા. ભારતને જીતવા માટે 66 બોલમાં 86 રનની જરૂર હતી. ત્યારે ભારતીય ટીમ મુશ્કેલીમાં લાગી રહી હતી. જોકે, ત્યારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ વરસાદના કારણે આગળની રમત શક્ય બની ન હતી. આ મેચ પણ વરસાદના કારણે મોડી શરૂ થઈ હતી અને ટોસમાં પણ વિલંબ થયો હતો.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઝડપી બોલર અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજની ચાર-ચાર વિકેટની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને 19.4 ઓવરમાં 160 રનના સ્કોર પર ઓલ-આઉટ કરી દીધું હતું. ટોસ જીતીને બેટિંગમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ માટે ડેવોન કોનવેએ 49 બોલમાં 59 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ગ્લેન ફિલિપ્સે તોફાની અંદાજમાં બેટિંગ કરતા 33 બોલમાં 54 રન ફટકાર્યા હતા. આ બંનેએ બીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, ત્યારબાદ યજમાન ટીમે ફક્ત 30 રનમાં જ પોતાની આઠ વિકેટ ગુમાવી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.