Abtak Media Google News

મુખ્ય માર્ગ છેલ્લા બે માસથી ખોદવામાં આવ્યા બાદ વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે

ખંભાળીયાના મુખ્ય માર્ગ નવાપરા માર્ગનાં નવીનીકરણ માટે માર્ગ ખોદવામા આવ્યા બાદ માર્ગમાં બાણશેયા જેવી સ્થિતિના કારણે વિસ્તારનાં વેપારીઓને પારાવાર મુશ્કેલી સહન કરવી પડતી હોય જેથી વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારી અને ચીફ ઓફીસરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મુખ્ય માર્ગ છેલ્લા બે માસથી ખોદવામાં આવ્યા બાદ અત્યાર સુધીનાં સમયમાં વેપારીઓને હેરાનગતિ સહન કરવી પડી રહી છે. માર્ગ ખોદકામની દુકાનોથી છ ફૂટ માર્ગચાર નીચે જવાથી ગ્રાહકો અને વેપારીઓ દ્વારા લાંબા પાટીયા અને પલંગ ઢાળમં રાખી અવર જવર કરવી પડી રહી છે. અનેક સમસ્યાઓનો છેલ્લા બે માસથી વેપારીઓ સહન કર્યા બાદ આ કામ તાત્કાલીક પણે પૂર્ણ કરવા ઉગ્ર રજૂઆત કરાઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.