Abtak Media Google News

જામનગર નજીક આવેલા બેડી બંદર પાસે જૂની અદાવતના કારણે મુસ્લિમ પ્રૌઢની મહિલા સહિત છ શખ્સોએ ઢીકાપાટુ મારી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બેડીના ખરી વિસ્તારમાં રહેતા નુરમામદ વલીમામદ સોઢા નામના પ્રૌઢ પર કાસમ જાફર કેર, હારૂન જાફર કેર, ડાડો જાફર કેર, ફારૂક જાફર કેર, અબ્બાસ જાફર કેર અને કરીમા જાફર કેર નામના શખ્સોએ ઢીકાપાટુ મારી હત્યા કર્યાની ખેરૂનબેન સુલેમાન સોઢાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક નુરમામદ સોઢાને કાસમ જાફર કેર સાથે અગાઉ ઝઘડો થયો હોવાના કારણે ચાલતી અદાવતના કારણે હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

પી.એસ.આઇ. આર.બી.ગોહિલ સહિતના સ્ટાફે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.