Abtak Media Google News

આતંકી સંગઠન અલકાયદા દ્વારા રાજ્યમાં હુમલાની ધમકી આપવામાં આવી છે. જેને લઈ ને સમ્રગ ભારતની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જેને લઇ દ્વારકાધીશના મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.હુમલાની ધમકીને લઇ દ્વારકાધીશના મંદિરમાંથ્રી લેયર સુરક્ષા કરવામાં આવી છે. આ સાથે દ્વારકામાં પ્રવેશ મેળવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં આતંકવાદી હુમલાના ઈનપૂટના પગલે સુરક્ષા હાઈ એલર્ટ પર હોઈ ત્યારે જગત મંદિર દ્વારકાધીશ ખાતે થ્રી લેયર સુરક્ષા કરાઇ. જેને લઈ દ્વારકાના ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવી ભીડ-ભાડવાળી જગ્યામાં પોલીસે ચાંપતી નજર રાખી છે. આતંકવાદી હુમલાના ઈનપુટને લઈ તંત્ર અને પોલીસે એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી છે.

દ્વારકા જિલ્લો 3 તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો હોઈ જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ ગણાય છે. અહી જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવેલ હોઈ હરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ સમગ્ર દેશમાંથી આવતા હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ જિલ્લો ખુબજ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ તરફ હવે આતંકવાદી હુમલાની દેહશતના પગલે દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર પોલિસ દ્વારા જિલ્લામાં એન્ટ્રી કરતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

આતંકવાદી હુમલાના ઈનપુટને પગલે હાલમાં દ્વારકામાં કડક સુરક્ષા જોવા મળી રહી છે. જેમાં દ્વારકાધિશ મંદિર, ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર તેમજ શહેરના ભીડભાડવાળી જગ્યામાંપોલીસ દ્વારા ખાસ નજર રખાઈ રહી છે. જગત મંદિર દ્વારકા ખાતે પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે, જેને લઈ અહીં આવતાં તમામ લોકોને ચેકીંગ કર્યા બાદ જ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.