- સંમેલનોમાં વિવિધ પ્રકલ્પો અંગે વિચાર મંથન,યજ્ઞ, સહસ્ત્રદિપ આરતીમાં ભાવિકો જોડાયા વ્યસનમુક્તિના શપથ લેવાયા
- સિદસરમાં શ્રી સવા શતાબ્દી મહોત્સવની આસ્થાભેર પૂર્ણાહૂતિ, હવે જ્ઞાનરથ ફરશે
- ભારતને મહાસત્તા બનાવવામાં પાટીદારોનું પ્રદાન :પરમાત્માનંદ સરસ્વતી
માં ઉમિયાધામ સિદસર માં ઉમિયાની આરાધના સાથે સરસ્વતીની સાધનાના સુત્ર સાથે ઉમિયાધામ સિદસર ખાતે યોજાયેલા પાંચ દિવસના શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડયા હતા. પરંતુુ ઉમિયાધામ સિદસર દ્વાારા વિવિધ સમિતિઓની રચના કરી લોકો માટે બેનમુન વ્યવસ્થા અને મેનેજમેન્ટ થકી મહોત્સવને સફળ બનાવ્યો હતો. માં ઉમિયાના ચરણે શિશ ઝુકાવી પાટીદારોએ સમાજના વિકાસ માટે સવાયા સંકલ્પથી સમાજ વિકાસની નવી દિશાનો પ્રારંભ ર્ક્યો છે. ઉમિયાધામ સિદસર દ્વ્રારા આગામી સમગ્ર વર્ષ્ા દરમ્યાન જ્ઞાનસમૃધ્ધિ રથનું સમગ્ર સૈારાષ્ટ્રમાં પરીભમ્રણ થશે.
પાંચ દિવસના શ્રી 1ા શતાબ્દી મહોત્સવમા યુવા, મહિલા, સામાજિક, સરરસતા, કર્મયોગી, શૈક્ષ્ાણિક અને પ્રોફેશ્નલ- ડોકટરો સહીત 10 જેટલા સંમેલનમાં વિવિધક્ષ્ોત્રના રાજકીય, સામાજિક અગ્રણીઓ, સંતો, વક્તાઓએ પાટીદાર સમાજને સમાજ વિકાસની પ્રગતિ માટે પ્રેરક સંદેશો આપ્યો હતો. પાંચ દિવસના મહોત્સવમાં યજ્ઞ, ફિલ્મ નિર્દશન, વ્યસન મુક્તિ, રક્તદાન શિબિર, અંગદાનના સંકલ્પ, આનંદમેળો સહીતના આયોજનમાં સૈારાષ્ટ્રભરના તાલુકા – ગ્રામ્ય વિસ્તારોના લાખો પાટીદારે ભાગ લઈ સિદસર ખાતે માં ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
તા.ર9 રવિવારના સવારે ઉમિયાધામ સિદસર ખાતે યોજાયેલા શૈક્ષ્ણિક સંમેલનમાં અખીલ હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંયોજક અને મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિના ક્ધવીનર સ્વામી ડો. પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતુ કે, હિન્દુ સમાજ માટે આદર્શ મર્યાદા પુરૂષોતમ રામ છે. સર્વના હદયમાં રામની સ્થાપના કરવાનું કામ શિક્ષ્ાકનુ છે. શિક્ષ્ાણ થકી પ્રગતિશીલ બનેલા પાટીદાર સમાજનો ફાળો ગુજરાતમાં મોખરે છે. અને ભારતને પ મી વિશ્ર્વસતા બનાવવા પટેલ સમાજનું યોગદાન મહત્તમ છે. આજના સમયે શિવાજી નહિ પરંતુ જીજાભાઈની જરૂર છે. તેમ જણાવવા પરમાત્માનંદ સરસ્વતીએ શિક્ષ્ાણ, મર્યાદા, ચિરત્ર, સંસ્કાર થકી શિક્ષ્ાકો ઉમત સમાજના નિમાર્ણમાં સહ ભાગી બનવા અપીલ કરી હતી. શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં દર્શન કોલેજના ર્ડા.રમેશ ધમસાણીયા તથા પૂર્વ શિક્ષ્ાણાધિકારી કૈલાએ પ્રાસંગિક ઉદબોધન ર્ક્યુ હતું. પૂર્વ શિક્ષ્ાણ નિયામક ડો. વી.બી. ભેંસદડીયાએ જીવનમાં મુલ્યો અને કુતજ્ઞતા જેવા ગુણો કેળવવા જોઈએ તેમ જણાવ્યું હતું.
મહોત્સવના અંતીમ સત્ર પ્રોફેશ્નલ સંમેલનમાં ઉમિયાધામ સિદસરના ડો.સુરેશભાઈ માખસણા તથા ચાટર્ડ એકાઉન્ટન્ટ પી.બી.ડઢાણીયાએ ઉમારત્ન યોજનામાં જોડાઈ સમાજ વિકાસ કાર્યોમાં સહભાગી થવા તબીબો, વકીલો, આર્કીટેક અને ચાર્ટડ એકાઉન્ટન્ટને અપીલ કરી હતી.
શ્રી 1ા શતાબ્દી મહોત્સવના સમાપન પ્રસંગે પાટીદાર સમાજે મા ઉમિયાની છત્રછાયામાં સંગઠન અને એક્તાની સાથોસાથ શિક્ષ્ાણ અને પિરશ્રમ થકી પ્રગતિનો પાયો નાખ્યો છે. આગામી ર031 સુધીમાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા ઉમિયા માતાજી સમૃધ્ધી યોજના-3 ના માધ્યમથી રૂા. 400 કરોડના સામાજીક, શૈક્ષ્ાણિક વિકાસ કાર્યોના સંકલ્પ સાથે મહોત્સવનું સમાપન થયુ છે. દિલેર પાટીદાર દાતાઓ અને ભામાશાઓની સખાવતથી આગામી દિવસોમાં રાજકોટના ઈશ્ર્વરીયા ખાતે 1પ00 થી વધુ વિદ્યાર્થીઓ માટે 3ર વિધા જગ્યામાં સ્કૂલ, ગર્લ્સ-બોયસ હોસ્ટેલ, લાયબ્રેરી, સ્પોર્ટ સંકુલ અને સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર, સહીતની સુવિધા ધરાવતું ‘શ્રી ઉમા શૈક્ષ્ાણિક સંકુલ’ રૂા. 100 કરોડના ખર્ચે ત્રણ તબકકામાં નિર્માણ પામશે. તેમજ ઉમિયાધામ સિદસરના સામાંકાઠે 30 વિધા જગ્યામાં યાત્રીકો માટે અતિથિગૃહ, મલ્ટીપર્પઝ હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન, પાટીદાર અસ્મિતા કેન્દ્ર, સ્મૃતિમંદિર, રીવર-ન્ટ રૂા. રપ કરોડના ખર્ચે નિર્માણ થશે.
સૌરાષ્ટ્રમાં વસતા અઢી લાખથી વધુ પિરવારોની નવી પેઢીના ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ ખાતે 100 કરોડાના ખર્ચે ગર્લ્સ તથા બોયઝ હોસ્ટેલ તેમજ ગાંધીનગર ખાતે રૂા. 40 કરોડના ખર્ચે નવી બોયઝ હોસ્ટેલ, રાજકોટ નજીક એઈમ્સ પાસે 10 કરોડના ખર્ચે આરોગ્યભવન, બનાવવા ઉપરાંત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષ્ણ ક્ષ્ેાત્રે શ્રેષ્ઠીઓના સહયોગથી રૂા. પ0 કરોડની શૈક્ષ્ાણિક લોન, વૃક્ષ્ારોપણ અને પ્રાકૃતિક ખેતી જળસંચય, ગ્રામ્ય વિકાસની પ્રવૃતીઓ માટે 1પ કરોડ, તેમજ વિવિધ સામાજીક પ્રવૃતિઓ માં 10 કરોડ, તેમજ ભગવાન રામની જન્મભૂમી અયોધ્યા ખાતે ઉમા અતિથિ ગૃહ બનાવવા માટે રૂા. રપ કરોડ ના ખર્ચે નિર્માણ સહીતના આયોજનો ઉમિયા માતાજી મંદિર સિદસરના માધ્યમથી થશે.
ઉદ્યોગ સંમેલનમાં અધ્યક્ષ્ા સ્થાનેથી બોલતા ઉમિયાધામના ઉપપ્રમુખ અને મહોત્સ્વના યજમાન જગદિશભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં હીરા ઉદ્યોગ, ડીઝલ એન્જીન, સિરામીક ઉદ્યોગ સહીતના આઠ ઉદ્યોગો જે મુખ્યત્વે પાટીદારો ચલાવી રહયા છે. જેની દેશ ભરમાં સૈાથી વધુ રેવન્યુ સરકારને રળી આપવાનો જશ મળી રહયો છે. ત્યારે પાટીદારોએ એક વ્યવસાયને બદલે અલગ અલગ વ્યવસાય તરફ વિઝન કેળવીને આગળ વધવું જોઈએ. માં ઉમિયાની નિશ્રામાં સમાજ વિકાસની હરણફાળ ભરાઈ રહી છે ત્યારે, ઉદ્યોગપતિઓ મન મુકીને દાન આપીને આ યાત્રામાં જોડાય તેવી અપીલ કરી હતી. આજના સંમેલનમાં ગુજરાતભરમાંથી આવેલા ઉદ્યોગપતિઓએમાં ઉમિયાના ચરણોમાં દાનનો વરસાદ ર્ક્યો હતો. યુવા ઉદ્યોગપતિ રાજન વડાલીયા, શૈલેષ વૈશ્ર્નાણી, ફાલ્કન ગ્રુપ સાથે જોડાયેલા પરીતાબેન કોટડીયા અને અમેરીકાથી આવેલા કોમલબેન દિપકભાઈ ગોવાણીએ પ્રાસંગીક ઉદબોધન કરી શિક્ષ્ાણ બાળકોની કેળવણી અને મહિલાઓની ઉદ્યોગ ક્ષ્ેાત્રમાં ભાગીદારીની વાત કરી હતી. શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે હેલીકોપ્ટર ન આવી શક્તા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સિદસર આવી શક્યા ન હતા.
શનિવારે રાત્રે મહોત્સવમાં પાંચ દિવસ શ્રમદાન અને સમયદાન આપનાર6500 જેટલા સ્વયંસેવકોને બિરદાવ્યા હતા. મહોત્સવને સફળ બનાવવા ઉમિયાધામ સિદસર દ્વારા શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં 10ર સમિતિના 6500 જેટલા સ્વયંસેવકોનો સન્માન સમારંભ યોજાયો હતો જેમાં ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસજાલીયા, ચેરમેન મૈાલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉમિયા સમૃધ્ધિ યોજનાના ક્ધવીનર બી.એચ.ધોડાસરા, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, જગદિશભાઈ કોટડીયા, ક્ધવીનરો ગોવિંદભાઈ વરમોરા, મનસુખભાઈ પાણ, શૈલેષ્ભાઈ વૈશ્ર્નાણી, તથા સહ યજમાન પુનીતભાઈ ચોવટીયાએ, રમણીકભાઈ ભાલોડીયા ભુપતભાઈ ભાયાણી સહીતના ટ્રસ્ટીઓ તથા હોદેદારોએ આભાર વ્યક્ત કરી સ્વયંસેવકોના અદકેરા સન્માન ર્ક્યા હતા.અને પાટીદાર સમાજના ઉત્થાન માટે અમલી બનાવાયેલી 400 કરોડની ઉમીયા સમૃધ્ધિ યોજના-3 ના માધ્યમથી જ્ઞાન સમૃધ્ધિ રથ સૈારાષ્ટ્રના 1ર જીલ્લાના 7પ0 થી વધુ ગામોમાં પરીભ્રમણ કરશે તેવી જાહેરાત ઉમિયાધામ સિદસર દ્રારા કરવામાં આવી હતી.
શૈક્ષ્ાણીક સંમેલનમાં વિજાપૂરા વિદ્યાસંકુલ સિદસર, જી.એમ઼પટેલ ક્ધયા છાત્રાલય ધ્રોલ, પટેલ કેળવણી મંડળ જુનાગઢ કડવા પાટીદાર કેળવણી મંડળ ગોંડલ, શ્રીરામ ખાંડસરી કોલેજ ઉપલેટા, ઓરપેટ ક્ધયા છાત્રાલય ટંકારા, ઉમાકુમાર વિદ્યાલય જાંબુડા, વિજયાબેન જીવનભાઈ ગોવાણી વિદ્યાલય જામનગર, ઉમિયા કેળવણી મંડળ ધ્રાંગધ્રા, કડવા પાટીદાર ક્ધયા કેળવણી મંડળ મોરબી, ઉમિયા સેવા ટ્રસ્ટ હળવદ, ફિડમાર્શલ – ગોવાણી ક્ધયા છાત્રાલય રાજકોટ, ધુલેશીયા ક્ધયા છાત્રાલય રાજકોટ, કડવા પટેલ કેળવણી મંડળ સુરેન્દ્રનગર, ઉમિયા પટેલ કેળવણી મંડળ તાલાલા, પટેલ વિદ્યાર્થી આશ્રમ કેશોદ, કડવા પાટીદાર છાત્રાલય બોટાદ, ઉમિયા એજયુકેશન ટ્રસ્ટ લાઠીદળના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
ડોકટર્સ પ્રોફેશનસ સંમેલન સમારોહના મુખ્ય વક્તા તરીકે સીમ્સ હોસ્પિટલ અમદાવાદના સિનીયર કાર્ડિયોલોજીસ્ટ ડો. અનિશ ચંદારાણા તથા કે.પી.એસ.એન.એ ના પૂર્વ પ્રમુખ ડો. ભાણજીભાઈ કુંડારીયા ે પ્રાસંગીક પ્રવચનો ર્ક્યા હતા. અતિથિ વિશેષ તરીકે મેડીકલ કોલેજ રાજકોટના ડો. ભારતીબેન પટેલ, સુપ્રિન્ટેન્ડેન્ટ મોનાલીબેન માકડીયા, ડો. રેખાબેન તથા ડો. અનીલ પટેલ, સુરેશભાઈ ધેટીયા, વિજયભાઈ સીતાપરા, અમેિરકાના ડો. પ્રદિપભાઈ કણસાગરા, ડો. કીર્તીભાઈ પટેલ, ડો. જગદીશ કણસાગરા, ડો. સતિશ પટેલ, ડો. દિલીપભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, ડો. ગૌતમ માકડીયા, ડો. દિપેશ ભલાણી, ડો. ગિરીશભાઈ પટેલ, ડો. ધીરેન ફળદુ, ડો. ભાવેશ સુરેજા, ડો. દિપક અધારા, આર્કીટેક જવાહરભાઈ મોરી, પ્રમોદભાઈ માકડીયા, પ્રતિકભાઈ ડઢાણીયા, એડવોકેટ એન.જે. પટેલ, સુરેશભાઈ ગોવાણી ઉપસ્થિત રહયા હતા. શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં તમામ સંમેલનનું સંચાલન સહ મહામંત્રી કૈાશિકભાઈ રાબડીયાએ ર્ક્યુ હતું.
ર0ર7માં રાષ્ટ્રીય કક્ષાનો ઉમા ઓદ્યૌગિક એકસ્પો દિલ્હીમાં યોજાશે: મૌલેશ ઉકાણી
શ્રી 1। શતાબ્દી મહોત્સવના ચોથા દિવસે યોજાયેલા ઉદ્યોગ વેપાર સંમેલનમાં ઉમિયાધામ સિદસરના ચેરમેન અને શ્રી 1। શતાબ્દી મહોત્સવના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યું હતું કે, નાણા એટલે કે લક્ષ્મીની ત્રણ ગતિ છે. પૈસાને વેડફવા, વાપરવા અને વાવવા આજના સમયે પાટીદાર સમાજ પૈસાને વાપરતો અને વાવતા તો સીખી ગયો છે પરંતુ પૈસાને ખોટી રીતે વેડફતો પણ થઇ ગયો છે. આવનારા સમયમાં આ દુષણને દુર કરી પાટીદારોએ પરસેવાના ટીપાની કમાણી સમાજના હિતમાં ખર્ચવી પડશે. આયુર્વેદિક ક્ષેત્રે 3000 થી વધુ પ્રોડક્ટ બનાવનાર બાન લેબના એમ.ડી. ઉકાણીએ સૌરાષ્ટ્ર ગુજરાતના પરિશ્રમી અને ટેલેન્ટેડ પાટીદાર ઉદ્યોગકારને પ્લેટફોર્મ પુરુ પાડવા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ ર0ર7 સુધીમાં રાષ્ટ્રીય કક્ષાનો ઉમા એકસ્પો દેશના પાટનગર દિલ્હીમાં યોજાવાની ઘોષણા કરી છે.
સમાજમાં વધતા જતા દુષણો બાબતે ટકોર કરતા ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ ચિંતા વ્યક્ત કરતા આજકાલ સમાજના યુવાનો વ્યસનોના રવાડે ચડી પરિવાર અને સમાજનું પતન નોતરે છે. મહિલાઓ પુરૂષોને વ્યસનો ન કરવા વિનંતી કરતી પરંતુ, હવે તે બાબતે મહિલાઓ લીબરલ થતી જાય છે. પરિવારમાં જરૂરી સમજણના વાતાવરણનો અભાવ જોવા મળી રહ્યો છે. વ્યસન બાબતે મા-બાપ સંતાનોને સ્વયંશિસ્ત અને સંસ્કારોનું લેશન આપવાનું ચુકી જાય છે. કહેવાથી નહી પરંતુ, વાણી વર્તન અને વ્યવહારથી સંતાનો શીખતા હોય છે. ત્યારે વાલીઓને વ્યસન કરતા જોતા બાળકો પણ આ રવાડે ચડે છે. સફળતા માટે ખોટા રસ્તે જવાની જરૂર નથી અને મહોત્સવના માધ્યમથી દરેક પરિવારે પોતે વ્યસનથી દુર રહી વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવામાં સહભાગી થવું જોઈએ.