Abtak Media Google News
  • કાલે રાત્રે રતનપર ખાતે રાજભા ગઢવી , ધીરૂભાઈ સરવૈયા શેખરદાન ગઢવી સહિતના નામી કલાકારોનો લોકડાયરો
  • ક્ષત્રિય સમાજ અને હિન્દુત્વની એકતા મજબુત બને તેવી નેમ સાથે 16 દિવસ રાજ્યભરમાં પરિભ્રમણ
  • માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી રાજકીય અને વિવિધ સામાજીક સંસ્થાઓ ક2શે વધામણા : ક્ષત્રિય સમાજે સાફા પરંપરાગત પોષાક સાથે જોડાવા અપીલ

દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી સામાજીક સંગઠન શ્રી રાજપુત કરણી સેનાની 16 દિવસની ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા કરણી 2થ આવતી કાલે શુક્રવારે સાંજે રતનપર આવી પહોંચશે, જયાં રાત્રે ભવ્ય લોકડાયરો અને તા.14/05/2022 – શનિવારે સવારે યાત્રાનું રાજકોટમાં આગમન થશે . રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પરથી પસાર થનાર આ યાત્રા કરણી રથનું માધાપર ચોકડીએથી ગોંડલ રોડ ચોકડી સુધી રાજકીય પક્ષો તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ , સંગઠનો દ્વારા ઠેર ઠેર સ્વાગત અને હરખભેર વધામણા થશે .

Capture 20

ગુજરાતના સ્થાપના દિવસે 1 લી મેના રોજ કચ્છ માતાના મઢથી માતાજીની જયોત સાથે એકતા યાત્રાનો આરંભ થયો હતો . રાજયભરમાં અંદાજે 1,900 કિલોમીટરથી પણ વધુ પરિભ્રમણ કરનાર આ એકતા યાત્રા તા.16/05/2022 ના રોજ સોમનાથ ખાતે પહોંચશે .કચ્છ માતાજી તેમજ અંબાજી માતાજીના દ્વારે થઈ ઉતર ગુજરાત , ભાવનગર , ધોલેરા , સુરેન્દ્રનગર , સુરજ દૈવળ અને મોરબી જિલ્લામાં થઈને આવતી કાલે તા.13 ના શુક્રવારે સાંજે મોરબી રોડ પરના રતનપર રામ મંદિર ખાતે પહોંચશે . જયાં રાજકોટ જિલ્લાભરની કરણી સેના હોદ્દેદારો , ક્ષત્રિય સમાજની સંસ્થાઓ આગેવાનો દ્વારા સન્માન કરાશે .

રાત્રે ખ્યાતનામ લોક કલાકાર રાજભા ગઢવી , ધીરૂભાઈ સરવૈયા અને શેખરદાન ગઢવી સહીત અન્ય નામી કલાકારોની ભવ્ય લોકડાયરો આયોજીત કરાયો છે . જેમા ક્ષત્રિય ધર્મ , હિન્દુત્વ , ભગવા રંગના ગુણગાન અને ઈતિહાસની ધરોહરને ઉજાગર કરાશે . બીજા દિવસે શનિવારે સવારના 9.30 વાગ્યાના સમયે રતનપરથી એકતા યાત્રા કરણી રથનું અંદાજે 500 થી વધુ કારો , જીપો , ટુ વ્હીલરો , અશ્વ સવારો સાથે રાજકોટમાં આગમન થશે . માઘાપર ચોકડીએ સવારે 10.15 કલાકે પહોંચશે .

માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના રૂટ પરથી પસાર થનાર આ યાત્રાનું અલગ અલગ પોઈન્ટ ઉભા કરી રાજકીય સંગઠનો , સંતો મહંતો , આગેવાનો , વિવિધ સમાજ સંગઠનો , સંસ્થાઓ દ્વારા કુમકુમ તિલક , ફુલહાર , ઢોલનગારા , ડી.જે.ની ધુન કેસરીયા માહોલ સાથે અલગ અલગ રીતે સ્વાગત માહોલ સાથે હિન્દુત્વની એકતા સમી આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે .

આ યાત્રાને સફળ બનાવવા ગુજરાત રાજપુત કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજા , પ્રભારી ભરતભાઈ કાઠી , પ્રદેશ સંરક્ષક મેરૂભા જાડેજા , પ્રદેશ ઉપાધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા , પ્રદેશ સચિવ કુલદીપસિંહ જાડેજા , ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાણા , પૃથ્વીસિંહ પરમાર , સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ શહેર જાડેજા , રાજકોટ જિલ્લા અધ્યક્ષ જયકિશનસિંહ ઝાલા , શહેર અધ્યક્ષ તીર્થરાજસિંહ ગોહીલ , પ્રભારી ભરતસિંહ જાડેજા , સત્યેન્દ્રભાઈ ખાચર , શીવરાજભાઈ ખાચર , રાજદીપસિંહ જાડેજા , રાજાભાઈ વાવડી , સતુભા જાડેજા , જગદીશસિંહ જાડેજા , માણસુરભાઈ વાળા , ગજુભા જાડેજા , ઉપેન્દ્રસિંહ ઝાલા , બલભદ્રસિંહ જાડેજા , યુવરાજસિંહ ઝાલા , સત્યજીતસિંહ જાડેજા , વનરાજસિંહ ઝાલા , ભુપેન્દ્રસિંહ ઝાલા , પ્રદિપસિંહ જાડેજા , યોગરાજસિંહ જાડેજા , જશુભા જાડેજા , પ્રયરાજસિંહ જાડેજા , મયુરસિંહ જાડેજા , વિરેન્દ્રસિંહ ઝાલા , દશરથસિંહ જાડેજા સહિતનાઓએ જહેમત ઉઠાવી રહેલ છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.