Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા મંડપ કોન્ટ્રાક્ટર અને ઈલેકટ્રીકલ્સ એસોસિએશન દ્વારા શ્રી રામ મંદીર નિર્માણ માટે રૂપિયા ૫૧ હજાર અર્પણ કરાયા

સુરેન્દ્રનગર જિલ્લા મંડપ કોન્ટ્રાક્ટર અને ઈલેકટ્રીકલ્સ એસોસિએશનના પ્રમુખશ્રી કેતન રાવલ તથા મંત્રીશ્રી રશ્મિન જાનીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા મંડપ કોન્ટ્રાક્ટર અને ઈલેકટ્રીકલ્સ એસોસિએશન દ્વારા શ્રી રામ જન્મભૂમિ તિથેક્ષેત્રમાં શ્રી રામ મંદીરના નિર્માણ માટે રૂપિયા ૫૧ હજાર અર્પણ કરવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે, સમાજ સેવા અને લોકહિતકારી કાર્યો કરવા માટે હંમેશા પ્રથમ હરોળમાં રહેતી આ સંસ્થા દ્વારા વિવિધ સેવાકિય કામગીરી કરવામાં આવે છે. જે અનુસાર તાજેતરમાં કોરોના વાયરસ કોવિડ  ૧૯ ના સંક્રમણ સમયે પણ લોકોને મદદરૂપ થવાના હેતુસર પ્રધાનમંત્રી સહાયફંડમાં રૂપિયા ૫૧ હજારનું અનુદાન આપવામાં આવ્યુ હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.