Abtak Media Google News

છત્તીસગઢના સુકમાં હવે હિડમાં જેવા સ્થાનિક તંત્રને કેટલાક ભ્રષ્ટાચારી ઓના સહકારથી નાના સૂર્યમાંથી અજગર જેવું વિરાટ રૂપ લઈ ચૂકેલા નક્સલી માસ્ટર માઇન્ડને હવે ખતમ કરવો અનિવાર્ય બન્યો છે 90ના દાયકામાં કોંગ્રેસના નેતાઓના સામૂહિક નરસંહાર થી લાઈમલાઈટમાં આવેલાં નાકસલી નેતા હિડમાં ને જ સુકમાં અને આસપાસના વિસ્તારોમાં નક્સલી પ્રવૃત્તિઓ માટે જવાબદાર માનવામાં આવે છે છત્તીસગઢ મધ્યપ્રદેશ અને નક્સલ પ્રભાવી રાજ્યોમાં સ્થાનિક લોકોને ગુમરાહ કરીને સમાંતર સરકાર જેવું નેટવર્ક ચલાવવાનું ભ્રમ મા રાચતા નક્સલીઓને અવશ્યપણે કેટલાક માટી પગા સ્થાનિક રાજકારણ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કેટલાક દેશવિરોધી તત્વો નું પીઠબળ મળી જાય છે જેના કારણે સરકારની અને ખાસ કરીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંગી ન પણ જાળવવા શાળાઓના હાથ હેઠા પડી જાય છે, સુ કમાં મા સુરક્ષા જવાન અને ખાસ કરીને પોલીસ નક્સલ પ્રભાવી વિસ્તારોમાં ઓપરેશન કરવા જવાની છે તેની અગાઉથી બાતમી લક્ષ્યોને મળી ગઈ હતી બીજા શબ્દોમાં કહીએ તો પોલીસ અને સુરક્ષા જવાનોની વચ્ચે જ ગદ્દારો એ પોતાનું નેટવર્ક ઉભો કરી લીધું હોય તેમ જ્યારે જ્યારે મોટા ઓપરેશનની તૈયારી કરવામાં આવે છે ત્યારે અંતિમ ઘડીએ તૈયારીઓની બાતમી લીક થઈ જાય છે અને દુશ્મન સુરક્ષા બળ કરતાં વધુ શાતિર સાબિત થઈ જાય છે, છત્તીસગઢના સુખમાં અને આસપાસના જંગલ વિસ્તારમાં મોટા પાયે નેટવર્ક ઊભું કરવામાં સફળ થયેલા નક્સલીઓ સ્થાનિક પ્રજા અને સિસ્ટમમાં ગોઠવાઇ ગયેલા ભ્રષ્ટાચારીઓ ના સહકાર વગર કોઇની દેન નથી કે દેશની સેના અને સુરક્ષા બળો સામે પડકાર ઊભો કરી શકે સુખ માની  ઘટના અંગે હવે આરપારની લડાઈ આવશ્યક બની છે સરકારે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ કર્યો છે અને હોડમાં જેવા સાપોલિયાં કોઈપણ સંજોગોમાં મસ્તી નાખવાનું માસ્ટર પ્લાન આકારમાં લેવાઇ રહ્યો હોવાના સંકેતો મળી રહ્યા છે નક્સલ પ્રભાવી વિસ્તારમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી કરવી કઈ અશક્ય નથી ,નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકોને દેશના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા અને પ્રાથમિક સુવિધાઓ શિક્ષણ લાલ લાભ આપવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને તેના અમલ માટે ભારે પુરુષાર્થ કરવામાં આવી રહ્યું છે નાગરિકોની ખેવના ના સરકારના પ્રયાસો ના ખૂબ જ સારા પરિણામો મળી રહ્યા છે સાક્ષરતાનો દર કન્યા કેળવણી શિક્ષણ ની સાથે સાથે પ્રાથમિક સુવિધાઓ  નાગરિકો સુધી પહોંચવા લાગી છે આદિવાસીઓને જંગલ ના અધિકારો, સ્થાનિક યુવાનોને રોજગારી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ ના કારણે નક્સલવાદની વિચારધારા ની તલવાર ધાર ગુમાવતી જાય છે લોકો નક્સલવાદ થી મોઢું ફેરવીને મુખ્ય પ્રવાહમાં ભણવા લાગ્યા છે આ કારણે હતાશ થયેલા નક્સલીઓ સુખમાં જેવી કાયરતા ભરી હિંસા ફેલાવી રહ્યા છે સરકાર હવે નક્સલવાદના ખાતના અંતિમ રોડમેપ તરફ આગળ વધી ચૂકી છે ત્યારે નક્સલ પ્રભાવી વિસ્તાર માં વ્યાપક પ્રમાણમાં સાફસૂફી કરી ને દાયકા ઓથી નક્સલવાદ જેવા નકારાત્મક માહોલમાં રહેતા લોકોને મુક્ત કરાવીને આઝાદી નો સાચો આસ્વાદ અપાવવાનો હવે સમય આવી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.