Abtak Media Google News

રાજકોટની સંગીતપ્રેમી જનતા માટે આવતીકાલે તા.1રમીએ શનિવારે રાત્રે 8.30 થી 10સુધી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે સદાબહાર નગ્મો કી બારાત કરાઓકે સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકો બકુલભાઇ પંડયા, હિતેશભાઇ ભટ્ટ, વર્ષાબેન ઠાકર અને દર્શનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું.

બકુલભાઇ પંડયા આયોજિત આ કાર્યક્રમમાં હિતેશભાઇ ભટ્ટ (વોઇસ ઓફ કિશોરકુમાર), વર્ષાબેન ઠાકર (વોઇસ ઓફ લતાજી), અને દર્શનાબેન ત્રિવેદી (વોઇસ ઓફ આશાજી), જુના નવા યાદગાર ગીતો પ્રસ્તુત કરશે. આ કાર્યક્રમમાં અજયભાઇ દવે અને જયોતિબેન ભટ્ટ અતિથિ કલાકાર તરીકે ઉ5સ્થિત રહી ગીતો પ્રસ્તુત કરશે. કાર્યક્રમનું સંચાલન જાણીતા તબલાવાદક અને એન્કર દિપક જોશી કરશે. રાજકોટની સંગીતપ્રેમી જનતાને કાર્યક્રમમાં પ્રવેશ માટે બકુલભાઇ પંડયા (મો.નં. 99243 53541) નો સંપર્ક સાધવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.