Abtak Media Google News

એક ચમચી કાળા મરીનો પાવડર, બે ચમચી મધ અને આદુના રસનું સતત પાંચ દિવસ સેવન કરવાથી થાય છે ૧૦૦ ટકા ફાયદો

સમગ્ર વિશ્વમાં હાલ ભયંકર કોરોનાનો કહેર છે ત્યારે તબીબો અને નિષ્ણાંતોએ તેને નાથવા માટેના સંપૂર્ણ પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે તાજેતરમાં પોંડિચેરી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કોવિડ-૧૯ માટે મહત્વનો એવો ઘરેલુ ઉપાય શોધી કાઢયો છે અને મજાની વાત એ છે કે આ ઉપાયને ડબલ્યુએચઓ દ્વારા પ્રથમ સ્થાને મંજુરી મળી છે.

કોરોના કહેરને નાથવા હાલ તબીબો અને નિષ્ણાંતો દ્વારા લગાતાર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે તેનાથી બચવા માટેનો જો નાનો અમથો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોય અને જો આ પ્રયાસને સફળતા મળી હોય ત્યારે તેનો ઉત્સાહ અને ખુશી અનેરી જ હોય છે અને આ પ્રયાસથી સામાન્ય જનમાનસ માટે ડુબતે કો તિનકે કા સહારા જેવો અનુભવ લોકોને થાય છે ત્યારે કોરોનાથી બચવા માટે આવો જ એક ઘરેલુ ઉપચાર સાથેનો પ્રયાસ પોંડિચેરી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ શોધી કાઢયો છે.

પોંડિચેરી યુનિવર્સિટીના એક વિદ્યાર્થી રામુએ સાબિત કરી બતાવ્યું છે કે તેને જે ઘરેલુ ઉપચાર શોધી કાઢયો છે તેમાં તથ્ય છે અને કારગત નિવડયો છે જેમાં એક ચમચી કાળા મરીનો પાવર ભરીને બે ચમચી મધ અને થોડા આદુનો રસનું જો સતત પાંચ દિવસ સુધી સેવન કરવામાં આવે તો કોરોનાની અસર ૧૦૦ ટકા દુર થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.