Abtak Media Google News

કોર્ટમાં ફેક અરજીના કારણે 4 કરોડ કેસ પેન્ડીંગ

નીચલી અદાલતોમાં સુનાવણીમાં થતા વિલંબ અને મફત કાનૂની સેવાની ઓછી સગવડ પેન્ડીંગ  કેસનું ભારણ વધારવામાં જવાબદાર

સુનાવણી સમયે વકીલોની અનઉપસ્થિતિનાં કારણે હીયરીંગ થતુ નથી: એન.જે.ડી.જી.

દેશની અદાલતોમાં  ચાર કરોડથી વધુ કેસ પેન્ડીંગ છે. જેમાં  63 લાખથી વધુ કેસ માત્ર વકીલોની અનઉપસ્થિતિ હોવાના કારણે પેન્ડીગ કેસનું કોર્ટમાં ભારણ વધુ રહી હોવાનું નેશનલ જયુડીશ્યડી ડેટા ગ્રીડ દ્વારા   કરાયેલ  સર્ચમાં બહાર આવ્યું છે. એનજે.ડી.જી.એ કોર્ટમાં કેસનું ભારણ  કઈ રીતે ઘટે તે   અંગેના  કેટલાક સુચનો  કર્યા જેમાં એન.જે.ડી.જી. દ્વારા કરાયેલા  અભ્યાસમાં   સૌથી  વધુ ઉતરપ્રદેશમાં  4.5 લાખ સીવીલ,  20.2 લાખ ક્રિમીનલ, બીહારમાં 2.1 લાખ સીવીલ,  7.2લાખ ક્રિમીનલ, મહારાષ્ટ્ર 4.4 લાખ સીવીલ, 3.9 લાખ ક્રિમીનલ, દિલ્હી 60 હજાર સીવીલ, 2.3 લાખ ક્રિમીનલ, કર્ણાટક 1.3 લાખ સીવીલ,  60 હજાર ક્રિમીનલ, તામીલનાડુ  87 સીવીલ, 19 હજાર ક્રિમીનલ અને ગુજરાત 35 સીવીલ, 32 હજાર  ક્રિમીનલ કેસ પેન્ડીંગ હોવાનું  બહાર આવ્યું છે.

દેશની નીચલી અદાલતોમાં પેન્ડિંગ 4 કરોડથી વધુ કેસોમાંથી 63 લાખ કેસ માત્ર વકીલોની અનુપલબ્ધતાને કારણે પેન્ડિંગ છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ અનુસાર 20 જાન્યુઆરી સુધી પેન્ડિંગ 78 ટકા કેસ ફોજદારી અને બાકીના સિવિલ છે. વકીલોની અછતને કારણે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ પેન્ડિંગ કેસ છે. આંકડા દર્શાવે છે કે આવા હજારો કેસ વકીલોની અનુપલબ્ધતાને કારણે પેન્ડિંગ લિસ્ટમાં પડેલા છે. માત્ર દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, યુપી અને બિહારમાં 63 લાખ કેસમાંથી 77.7 ટકા એટલે કે 49 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે.

એક સમાચાર અનુસાર કોર્ટમાં પેન્ડિંગ કેસોમાં વકીલ ન હોવાના ઘણા કારણો હોઈ શકે છે. મુકદ્દમા ચલાવી રહેલા વકીલોનું નિધન, કેસ ચાલુ હોય ત્યારે વકીલોની વ્યસ્તતા, કાર્યવાહી દ્વારા વકીલોની ભરતીમાં વિલંબ અને મફત કાનૂની સેવાઓની ઓછી પહોંચ જેવા કારણો પણ જવાબદાર છે. નીચલી અદાલતોમાં સુનાવણીમાં વિલંબ એ સૌથી મોટી અડચણ છે અને આવું થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાં ન્યાયાધીશો સમક્ષ મોટી સંખ્યામાં કેસ, પૂરતા ન્યાયાધીશોનો અભાવ અને વિવિધ કારણોસર કેસ સ્થગિત કરવાનો સમાવેશ થાય છે. તેમાંથી એક વકીલની બિનઉપલબ્ધતા છે.

વકીલો પર ઘણી વખત કામનો બોજ હોય છે. કોર્ટમાં રજિસ્ટ્રી જે રીતે કામ કરે છે, કેસની યાદી છેલ્લી ક્ષણે આવે છે. જેના કારણે વકીલો વારંવાર કોઈપણ સુનાવણીમાં હાજર રહેવાનું ચૂકી જાય છે. બીજું કારણ એ છે કે ભારતમાં સરેરાશ કેસની સુનાવણી પૂર્ણ થતાં ચાર વર્ષનો સમય લાગે છે. જ્યારે લાંબા સમય સુધી મુકદ્દમો ચાલે છે, ત્યારે પીડિત વ્યક્તિને ભારે કાનૂની ફી ચૂકવવી મોંઘી પડે છે. જ્યારે કેન્દ્રીય કાયદા મંત્રાલયના અલગ ડેટા દર્શાવે છે કે 2017-18 અને 2021-22ની વચ્ચે એક કરોડથી વધુ લોકોએ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓનો લાભ લીધો છે. જ્યારે કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે આ આંકડો સ્વીકારવો મુશ્કેલ છે અને તેની વધુ તપાસ થવી  જરૂરી છે.

વકીલોની વ્યસ્તતાને લીધે ફક્ત 7 રાજ્યોમાં 77% કેસ પેન્ડિંગ!!

વકીલોની અછતને કારણે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ પેન્ડિંગ કેસ છે. આંકડા દર્શાવે છે કે આવા હજારો કેસ વકીલોની અનુપલબ્ધતાને કારણે પેન્ડિંગ લિસ્ટમાં પડેલા છે. માત્ર દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, યુપી અને બિહારમાં 63 લાખ કેસમાંથી 77.7 ટકા એટલે કે 49 લાખથી વધુ  કેસનું હીયરીંગ પેન્ડીંગ છે.

વકીલોની અનઉપસ્થિતિનાં કારણે  63 લાખ કેસ પેન્ડીંગ

દેશની નીચલી અદાલતોમાં પેન્ડિંગ 4 કરોડથી વધુ કેસોમાંથી 63 લાખ કેસ માત્ર વકીલોની અનુપલબ્ધતાને કારણે પેન્ડિંગ છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ અનુસાર 20 જાન્યુઆરી સુધી પેન્ડિંગ 78 ટકા કેસ ફોજદારી અને બાકીના સિવિલ છે. વકીલોની અછતને કારણે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ પેન્ડિંગ કેસ છે. આંકડા દર્શાવે છે કે આવા હજારો કેસ વકીલોની અનુપલબ્ધતાને કારણે પેન્ડિંગ લિસ્ટમાં પડેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.