Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»શહીદોના પરિવારોને એક માસમાં સહાય મળી જશે: અમીત શાહ
National

શહીદોના પરિવારોને એક માસમાં સહાય મળી જશે: અમીત શાહ

By ABTAK MEDIA06/12/20212 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

રાજસ્થાનના જેસલમેરમાં સીમા સુરક્ષા દળના 57માં સ્થાપના દિવસ સમારોહ સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી

 

અબતક-રાજકોટ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજસ્થાનના જેસલમેરમાં સીમા સુરક્ષા બળના 57મા સ્થાપના દિવસ સમારોહને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ દેશની સેવામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોના પરિવારજનો અને સેવારત બીએસએફકર્મીઓને બહાદુરી માટે પોલીસ મેડલ અને ઉત્કૃષ્ટ સેવા માટે સેવારત અને સેવાનિવૃત્ત કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કર્યા હતા. આ અવસરે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સેખાવત અને સીમા સુરક્ષા બળના મહાનિદેશક પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે મોદી સરકારે 1965માં બીએસએફની સ્થાપના બાદ પહેલી વાર બીએસએફના સ્થાપના દિવસને દેશના સરહદી જિલ્લામાં મનાવવાનો નિર્ણય લીધો છે અને આ પરંપરાને આપણે આગળ પણ ચાલુ રાખવી જોઇએ. તેમણે કહ્યું કે આ સ્થાપના દિવસ આપણી આઝાદીના અમૃત મહોત્સવનાં વર્ષનો સ્થાપના દિવસ છે. આઝાદી મળ્યાને 75 વર્ષો વીતી ગયા છે અને પ્રધાનમંત્રીએ આ વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. આઝાદીનાં શતાબ્દી વર્ષ સુધી 75 વર્ષથી 100 વર્ષ વચ્ચેનો જે સમયગાળો છે એ અમૃત કાળ છે અને આ અમૃત કાળમાં એ નક્કી કરવાનું છે કે જ્યારે આઝાદીનાં 100 વર્ષ થશે ત્યારે દરેક ક્ષેત્રમાં આપણે ક્યાં ઊભા હોઇશું.

અમિત શાહે કહ્યું કે દેશભરમાં સીમા સુરક્ષા બળ, પોલીસ બળ અને સીએપીએફના 35 હજારથી વધુ જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે અને બીએસએફ એમાં સૌથી આગળ છે કારણ કે સૌથી કઠિન સરહદોની સુરક્ષાની જવાબદારી બીએસએફને સોંપવામાં આવી છે. હું એ તમામ શહીદ દિવંગત વીર જવાનોને સમગ્ર દેશ અને દેશના પ્રધાનમંત્રી તરફથી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પવા માગું છું. સીમા સુરક્ષા દળનો બહુ ગૌરવપૂર્ણ ઇતિહાસ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીમાઓનાં પ્રહરીઓ પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહ્યા છે. આયુષ્યમાન યોજના હેઠળ દેશના તમામ સીએપીએફના જવાનો માટે અને એમના પરિવારોને એક કાર્ડના માધ્યમથી પૂર્ણ સ્વાસ્થ્ય કવર આપવામાં આવ્યું છે. આજે તમામ પરિજનો માટે એક કાર્ડ આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે જેનાથી કાર્ડ સ્વાઇપ કરતા જ આપ 21 હજારથી વધુ હોસ્પિટલોમાં આપ પોતાના અને પોતાના પરિવારજનોની મોટામાં મોટી સારવાર બહુ સારી રીતે કરાવી શકો છો. કેન્દ્રીય અનુદાન રકમ જે 35 લાખ રૂપિયા અને 25 લાખ રૂપિયાની છે એ પણ એક મહિનામાં શહીદના પરિવાર સુધી પહોંચાડી દેવાય છે.

amitshah INDIA NATIONAL politics polititian
Share. Facebook Twitter WhatsApp
Previous Articleરાજકોટ: જંગલેશ્વરમાં ડ્રગ્સના હાટડાઓને ડામવા પોલીસ દ્વારા સ્નિફર ડોગથી ચેકીંગ
Next Article ગમે તેવી મૂશ્કેલીમાં પણ બાળકોને શિક્ષણ આપો: ડો. પરિન સોમાણી
ABTAK MEDIA
  • Website

Related Posts

અદાણીએ ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી

03/10/2023

બાંદ્રાના એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા સેલેબ્સ

03/10/2023

ચંદ્ર પરની રાતે ISROની આશાઓ તોડી નાખી…

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023

મયુર અંજારિયા લિખિત મયૂરપંખ પુસ્તકનું વિમોચન

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.