કેઈઝન ફેરોકાસ્ટના હિમાંશુભાઈ વાછાણીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પૂર્વે કંપનીની સ્થિતિ કયાંકને કયાંક સુધારા પર જોવા મળતી હતી પરંતુ કોરોના અને લોકડાઉન બાદ સ્થિતિનું જે નિર્માણ થવા પામ્યું છે. તેનાથી કંપનીને ઘણીખરી માઠી અસરનો સામનો કરવો પડયો છે. આ તકે હિમાંશુભાઈ વાસાણીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે આટલા સમયગાળા દરમિયાન જે પરપ્રાંતીય મજૂરોને સાચવવામાં આવ્યા ત્યારે હવે તેઓને વતન મોકલાવાતા ધંધા રોજગારી ઠપ્પ થઈ હોવાની ભીતી સેવાઈ રહી છે. કંપનીને ડર છે કે રો-મટીરીયલની અપૂરતી હોવાથી માંગમાં ઘણો ખરો ફેર પહોચ્યો છે. અને કયાંક એવી પણ આશંકા સેવાય છે કે કંપનીને મળેલા પ્રોજેકટ અન્ય દેશોમાં ચાલ્યા ન જાય તેમના જણાવ્યા મુજબ પરિવહન ક્ષેત્રે વેગ આપી શરૂ કરે તો રો-મટીરીયલ અને સ્ટોકનો પ્રશ્ર્નો ઉદભવે છે. તે યથા યોગ્ય રીતે ચાલી શકશે અંતમાં તેઓનું માનવું છે કે સરકાર જીએસટી અને વ્યાજ માફીમાં જો રાહત આપે તો ઉદ્યોગને નવું જીવન મળી શકશે અને સરકારે નાણાંકીય સહાય આપવી પણ એટલાજ અંશે જરૂરી છે.
Trending
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!
- સિંહ અને સિંહણ બંને માંથી કોણ વધુ ખતરનાક ?
- રાજકોટ કોર્પોરેશનમાં મેનેજરની 8 જગ્યાઓ માટે 2922 ઉમેદવારો મેદાનમાં!!
- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ
- સોનામાં તેજી હી તેજી : ભાવ 70 હજારને પાર
- નેટ કનેક્શનના નામે ત્રણ લોકો સાથે ભેજાબાજ શખ્સે હજારોની આર્થિક છેતરપિંડી આચરી
- BSNL, રેલવે, આરોગ્ય અને મીડિયા સહિત વિવિધ 12 જેટલી સેવાનો પોસ્ટલ બેલેટમાં સમાવેશ