Abtak Media Google News

જન સહયોગ અને મહિલા શક્તિનું જીવતું જાગતું  સ્વરૂપ એટલે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાની સુખપર સાર્વજનિકહિન્દુ સ્મશાન ભૂમિ!! સૌના સાથથી કોરોનાને આપી એ માત  આ મંત્રને સુખપર માં સેવિકાઓ સાર્થક કરી રહી છે. કોરોનાના કપરા કાળમાં કોવીડ-19 થી મૃત્યુ પામેલા લોકોને હિન્દુ ધાર્મિક વિધિથી અંતિમ ક્રિયાની કઠણ કાળજા ભરેલી કપરી કામગીરી  સુખપર ગામમાં રાષ્ટ્ર સેવા સમિતિની 15 સેવિકાઓ કરી રહી છે. છ દિવસથી પ્રારંભ આ કામગીરીમાં ગ્રામીણ મહિલાઓ સ્મશાનભૂમિ ની સફાઈ થી લઇ મૃતદેહને અગ્નિદાહ આપવા સુધીની તમામ કામગીરી ધગસ ભેર હિંમતથી કરી રહી છે .

પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના ના સંક્રમણને પગલે થતાં મૃત્યુના કારણે નિયત કરેલા સ્મશાનો પૈકી ભુજ ખારી નદી સ્મશાન ભૂમિ અને સુખપર ગામે આ સ્મશાન ભૂમિ પર કોવીડ-19 ના મૃતદેહને અંતિમ ક્રિયા કરાવવાના વહીવટી તંત્રના અનુરોધના પગલે અમે છ દિવસથી અહીં હિન્દુ શાસ્ત્રોક્ત રીતે કોવીડ-19 ના દર્દીઓના અંતિમ સંસ્કાર કરી રહ્યા છીએ. એમ સ્મશાનભૂમિની કામગીરી સાથે સંકળાયેલા રામજીભાઈ વેલાણી જણાવે છે . સમગ્ર વેલાણી પરિવાર આ કામગીરીમાં જોડાયેલ છે. અહીં સવારે 8થી રાતના 8 વાગ્યા સુધી અંતિમ ક્રિયાની કામગીરીમાં બહેનો જોડાયેલી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.