Abtak Media Google News

રોજિંદા જીવનમાં જો નિયમિત ગોળનું સેવન કરવામાં આવેતો ઘણા ફાયદાઓ રહેલા છે. બારે મહિના તમારાથી દૂર રહેશે આ રોગો જો ગોળનું સેવન ખોરાક સાથે કરવામાં આવે તો શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ગોળ ખાવથી ત્વચામાં નિખાર આવે છે અને તમે 50 વર્ષની ઉંમરે પણ યંગ દેખાવો છો. ગોળનું સેવન કરવાથી ફેસ પર પડતી કરચલીઓ દૂર થાય છે.

મગજ સક્રિય રહે છે

શેરડી માથી તૈયાર કરવામાં આવતા પ્યોર ગોળનું જો રોજ સવારે નાસ્તો કર્યા વગર સેવન કરવામાં આવે તો તેનો ખૂબ મોટો ફાયદો થાઈ છે. તે માઈગ્રેનમાં ખૂબ જ અસરકારક છે. નિયમિત ગોળ ખાવાથી તમારૂ મગજ સ્વસ્થ રહેશે અને યાદ શક્તિ વધશે.

લોહીની અછત દૂર થશે

ગોળમાં લોહ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ગોળ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે અને એનિમિયા મટે છે.

બ્લડ પ્રેશરમાં રાહત

જો કોઈને બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો ગોળ એ રામબાણ ઉપચાર છે. ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિત થાય છે.

હાડકાંની શક્તિ વધારે

કેલ્શિયમ અને ફોસ્ફરસ ગોળમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેથી તે હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ અસરકારક છે.

અસ્થમા

અસ્થમાથી પીડાતા લોકો માટે ગોળ અને દૂધનું સેવન ખુબજ ફાયદા કારક છે. આવા લોકોએ માત્ર ગોળ અને કાળા તલના લાડવા ખાવા જોઈએ અને તેને ખાધા પછી ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.