Abtak Media Google News

જૂની અદાવતનો ખાર રાખી કરાયું ફાયરીંગ: સીસીટીવી આધારે પોલીસ તપાસ

 

સાયલા તાલુકાના ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ રબારી ઉપર ડોળિયા ગામ પાસે ફાયરિંગ કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે જુના ઝઘડાની અદાવતમાં ફાયરિંગ થયુ હોવાનું મનાઇ રહ્યુ છે.

Img 20221008 Wa0041સુરેન્દ્રનગર એસ.પી, એલસીબી અને સાયલા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં ફાયરિંગ થયાનું અનુમાન છે. સાયલા એપીએમસીમાંથી વન્ય પ્રાણી કાર્યક્રમ બતાવી પોતાના ઘર ધાંધલપુર તરફ જતા ડોળીયા પાસે ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

હાલ ધાંધલપુર ગામે રણછોડભાઈના પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે. હાલ જુના ઝઘડાનું કારણ સામે આવી રહ્યું છે. હાલ સમગ્ર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સીસીટીવી કેમેરા ચેક સહિતની કામગીરી કરી રહી છે. ફરિયાદી રણછોડભાઈ રબારી દ્વારા સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ કરાઈ રહી છે. ફાયરિંગમાં કારને સાઈડની થાંભલી પર નુકસાન થયુ છે. જેથી પોલીસ કારને એફએસએલમાં મોકલી આપી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.