Abtak Media Google News

સમુહ લગ્નમાં નવદંપતીઓને આર્શિવચન પાઠવવા અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ

રાજકોટમાં મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિ ગાંધીગ્રામ વિકાસ મંડળ તથા જાગૃત મહિલા મંડળ દ્વારા ગઈકાલના રોજ રંભામાની વાડી, શાસ્ત્રીનગર પાસે પાંચ દિકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ આપ્રસંગે બહોળી સંખ્યામાં સમાજ અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિઓને આર્શિવચન પાઠવ્યા હતા.

Vlcsnap 2019 05 06 11H18M48S200

અબતક સાથેની વાતચીત દરમિયાન મંડળના પ્રમુખ જીતુભાઈ પરમારએ જણાવ્યું હતુ કે મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિ તથા ગાંધીગ્રામ વિકાસ મંડળ તથા જાગૃત મહિલા મંડળ દ્વારા પાંચ દિકરીઓનાં સમુહ લગ્નનું આયોજન કર્યું હતુ. અમે ત્રીજી વખત સમુહ લગ્નનું આયોજન કર્યું છે.Vlcsnap 2019 05 06 11H24M41S96

જ્ઞાતીનાં તમામ અગ્રણીઓનાં સાથ સહકારથી સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરીએ છીએ અમા‚ મંડળ છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે. અને આવા અનેક કાર્યક્રમો કરી રહ્યું છે તથા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો અમો કરીશું અમે દિકરીઓને કરિયાવરમાં ૧૫૧ જેટલી વસ્તુઓ આપી છે. અમારા આ શુભ પ્રસંગે ૨૫૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.