Abtak Media Google News

બસ ચાલક ગંભીર: પાંચેયને સારવારમાં રાજકોટ ખસેડાયા

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે એસટીની બે બસ સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બસ ચાલક સહિત પાંચ ઘવાતા તમામને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અંગેની પોલીસમાંથી વિગત મુજબ વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે એસટીની બે બસ સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બસ ચાલક સલીમભાઇ, રવજીભાઇ પરમાર, ધર્મેશભાઇ, રાજુભાઇ, પ્રવિણભાઇ ઘવાતા તમામને સારવાર માટે દાખલ કરાયા છે. અકસ્માતના બનાવની જાણ થતા પી.એસ.આઇ. સોઢા, ભરતસિંહ અને નાગજીભાઇ ઘટના સ્થળે પહોચી ઘવાયેલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.