Abtak Media Google News
  • અધેલાઈ ગામ પાસે કાર ટ્રક સાથે અથડાતા સર્જાયો જીવલેણ અકસ્માત
  • મૂળ રાજસ્થાનનો જૈન પરિવાર પાલીતાણા ઉપધાન તપમાંથી અમદાવાદ તરફ જતી વેળાએ કાળનો કોળિયો બન્યા

ભાવનગર નજીક આવેલા અધેલાઇ ગામ નજીક માર્ગ પર ગઈકાલ રાત્રીના એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં મૂળ રાજસ્થાનના જૈન પરિવારના પાંચ સભ્યોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા છે.બનાવની જાણ થતાં જ 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો જેમાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતકો મૂળ રાજસ્થાનના એક જ પરિવારના છે અને તે પાલીતાણા ખાતે ભીનમાલ ધર્મશાળા ખાતે હાલમાં ચાલી રહેલા ઉપધાન તપમાં શાતા પૂછવા આવેલા હતા અને ત્યાંથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ગોઝારા અકસ્માતનો ભોગ બન્યા હતા. ઊલેખનીય છે કે, થોડા સમય પહેલા જ ધંધુકા નજીક અમદાવાદનો દરબાર પરિવાર ભાવનગર ખાતે કામકાજ માટે આવ્યો હતો ત્યારે ઘરે પરત ફરતી એક સારા અકસ્માતમાં પાંચ સભ્યોના કરુણ મોત થયા હતા ત્યારે ફરી એકવાર ગઈકાલે ભાવનગર નજીક અકસ્માત સર્જાતા માર્ગ રક્ત રંજિત થયો હતો.

આ અંગે બનાવની મળતી વિગતો અનુસાર ભાવનગર – અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ ગામ નજીક ગઈકાલ રાત્રિના સમયે એક ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાળક સહિત પાંચ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ 108 અને સ્થાનિક પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતના પગલે સર્જાયેલા ટ્રાફિકજામને દૂર કર્યો હતો. અકસ્માત એટલી હદે ગોઝારો હતો કે ટ્રક કાર સાથે અથડાતા કારનું પડીકું થઈ ગયું હતું જેથી અંદર ફસાયેલા ગુરુદેવને કાઢવા માટે ઘણી જેહમત કરવી પડી હતી.

પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હાલ અમદાવાદ શહેરમાં કેપી હાઇટ્સ નામે ફ્લેટમાં રહેતા અને મૂળ રાજસ્થાનનો જૈન પરિવાર પાલીતાણા ખાતે ભીનમાલ ધર્મશાળા ખાતે હાલમાં ચાલી રહેલા ઉપધાન તપમાં શાતા પૂછવા માટે આવ્યો હતો અને બાદ ત્યાંથી પરત અમદાવાદ ફરી રહ્યો હતો ત્યારે અઘેલાઈ ગામ નજીક આ કરુણ અક્સ્માત સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે,થોડા સમય પહેલા જ ધંધુકા નજીક અમદાવાદનો દરબાર પરિવાર ભાવનગર ખાતે કામકાજ માટે આવ્યો હતો ત્યારે ઘરે પરત ફરતી એક સારા અકસ્માતમાં પાંચ સભ્યોના કરુણ મોત થયા હતા ત્યારે ફરી એકવાર ગઈકાલે ભાવનગર નજીક અકસ્માત સર્જાતા માર્ગ રક્ત રંજિત થયો હતો.

મૃતકોના નામ

  • મહાવીર જૈન (ઉ.વ.40)
  • પુષ્પા દેવી(મહાવીર જૈનના સાસુ) (ઉ.વ.60)
  • રમીલા જૈન(ઉ.વ.40)
  • નરેશ જૈન(ઉ.વ.40)
  • અને 9 વર્ષનું બાળક

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.