Abtak Media Google News

વિજાણુશાસ્ત્ર મારફત દિવસેને દિવસે ટેકનોલોજીક યંત્રો જેવા કે મોબાઈલ, કોમ્પ્યુટર, ઓડિયો-વિઝયુઅલ એઈડ્સ, એમ.આર.આઈ, સીટીસ્કેન, ઈસીજી વગેરે માનવજીવનને ઉપયોગી ટેકનોલોજીના સાધનો અતિ આધુનિક, ક્ષતિરહિત, ઝડપી અને સાઈઝમાં નાના બની રહ્યા છે.

જેમાં ખુબ જ અગત્યનું વિજાણુશાસ્ત્રનું યંત્ર ઈન્ટીગ્રેટેડ ચીપનું મહત્વનું પ્રદાન રહેલ છે. મેડિકલ, સંદેશા વ્યવહાર, રોજબરોજની જીવન જરૂરીયાત, મનોરંજન વગેરેમાં ઉપયોગી ઉપકરણો બનાવવામાં અગત્યની જરૂરીયાત ઈન્ટીગ્રેટેડ ચીપની છે. જેમાં ડાયોડ, ટ્રાન્ઝીસ્ટર, કેપેસીટર વગેરે જેવા અનેકો અનેક કંમ્પોનન્ટ સુક્ષમતા (નેનો)થી અબજોની સંખ્યામાં ગોઠવવામાં આવે છે.

વૈજ્ઞાનિકોએ તમામ વિજાણુશાસ્ત્રના ઉપકરણો અતિઝડપી, સુક્ષમ અને ત્રુટિ રહિત બનાવવા નવા પ્રકારની ‘સ્પીનટ્રોનીકસ’ બ્રાંચ કે જે ભૌતિકશાસ્ત્ર વિષયના કવોન્ટમ ફિઝીકસ અને ઈલેકટ્રોનીકસના સંકલનથી તૈયાર કરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ભૌતિકશાસ્ત્ર ભવનનાં સંશોધકો ડો.પિયુષ સોલંકી અને પ્રો.નિકેશ શાહ મારફત ‘સ્પીનટ્રોનીકસ’ ટેકનોલોજીમાં ઉપયોગી સુક્ષમ થીન ફિલ્મ બનાવવામાં આવેલ છે

અને છેલ્લા ચાર વર્ષથી ભવનનાં યુવા સંશોધકો મારફત વિવિધ સફળ પ્રયોગો કરાવેલ છે. ડો.પિયુષના જણાવ્યા મુજબ સ્પીન ટ્રોનીકસમાં ઉપયોગી ઈન્ટીગ્રેટેડ ચીપમાં ડાયોડ અને ટ્રાન્ઝીસ્ટર તરીકે સફળતાપૂર્વક કરી શકાય છે તે અંગેના પ્રયોગો પણ ડો.સોલંકીના માર્ગદર્શન હેઠળ લેબોરેટરીમાં સફળતાપૂર્વક કર્યા છે.

પ્રાથમિક ધોરણે મળેલી પ્રાયોગીક સફળતા અને સંશોધન પત્રો મારફત ડો.પિયુષ સોલંકી અને પ્રો.નિકેશ શાહે સંયુકત રીતે ઈન્દોર સ્થિત ભારત સરકારની યુજીસી, ડીએઈ, સીએસઆર સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિક ડો.રામજનય ચૌધરી સાથે કોલોબ્રેશનમાં ૩ વર્ષના સંશોધન પ્રકલ્પ માટે અનુદાન માંગવામાં આવ્યા હતા.

ભારત સરકારની સંશોધન સંસ્થાન મારફતે સ્પીનટ્રોનીકસ બેઈઝ અગત્યના સંશોધનને લીલીઝંડી આપીને ૨૦૧૮-૨૧માં ૩ વર્ષ માટે પ્રકલ્પ મંજુર કરાયેલ છે અને જેમાં એક વિદ્યાર્થીની પ્રોજેકટ માટે નિમણુક કરવામાં આવનાર છે. જેને યુજીસી-સીએસઆર-ડીએઈ મારફત દર મહિને રૂ.૧૬૦૦૦/- સ્કોલરશીપ અને દેશની ખ્યાતનામ ઈન્દોરની સી.એસ.આર લેબોરેટરીમાં કામ કરવાનો ત્રણ વર્ષ લાભ મળનાર છે.

ડો.પિયુષ સોલંકી અને પ્રો.નિકેશ શાહ અને સંશોધન ટીમના પરિશ્રમથી ભૌતિકશાસ્ત્ર ભવનની નેનો મટીરીયલ્સ અને ફંકશન ઓકસાઈડ સંશોધન લેબોરેટરી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કોલોબ્રેશન કાર્યથી સતત ધમધમતી રહે છે તેમના સંશોધન કાર્યને ભવનના અધ્યક્ષ પ્રો.હિરેનભાઈ જોષી, પ્રો.મિહીરભાઈ જોષી, યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવે બિરદાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.