Abtak Media Google News

મનુ કવાડ, ગીર ગઢડા

જંગલ વિસ્તારમાંથી અવાર-નવાર પાલતુ પ્રાણીઓનું મારણ કરી મેજબાની માણવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે ગિરગઢડામાં આવો વધુ એક કિસ્સો બન્યો છે. ગીરગઢડાના જમવાળ વિસ્તારમાં રેઢિયાર ગાઈને પોતાનું ભોજન બનાવીને તેનું મારણ કર્યું હતું. સમી સાંજે ગાયનું મારણ કરી મિજબાની આરોગવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જેમાં આપ જોઈ શકો છો કે સિંહ પોતાના ભોજનની મિજબાની કેવી રીતે માણી રહ્યો છે.

સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે ગામમાં અવાર-નવાર આવી ઘટના બનતી હોય છે. છેલ્લા 15 દીવસમાં સિંહે ગામમાં ધુસી ચોથા પશુનું મારણ કર્યું છે. જંગલ બોર્ડરનું ગામ હોવાથી રખડતા પશુઓનો સરળતાથી શિકાર મળી રહે અને પશુઓ અવાર-નવાર જંગલી પ્રાણીઓનો શિકારનો ભોગ બને છે. ગામના લોકો કાંઈ પણ પગલાં ઉઠાવી શકતા નથી. પાલકોની 15 દિવસમાં ચોથા પશુનું મારણ સિંહ દ્વ્રારા કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.