- ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા
- પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂએ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા
રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ એ જણાવ્યું હતું કે ગુજરાતને હપ્તા વાળું ગુજરાત તરીકે ઓળખાય તે હદ સુધી ભાજપ સત્તાનો દુરુપયોગ કરી લોકોના જાનની પરવા કર્યા વગર ભાજપ બેફામ બન્યો છે. તાજેતરમાં સીટી બસના એક ડ્રાઈવરે ચાર લોકોની જિંદગી છીનવી લીધી છે અનેક ને ઘાયલ કર્યા છે પોલીસ મહાનગરપાલિકાનું તંત્ર ઈંઅજ, ઈંઙજ ને ભાજપના ભ્રષ્ટાચારના ભાગીદાર થવું પડે છે. જે ડ્રાઇવરે ચારની જિંદગી છીનવી લીધી છે તે ડ્રાઇવરના લાઇસન્સ ની અવધી પણ સમાપ્ત થઈ ગઈ હતી એટલે કે લાયસન્સ વગરના ડ્રાઈવરે ચાર લોકોની જિંદગી છીનવી લીધી છે. સીટી બસના સંચાલકોની હજુ સુધી ધરપકડ કરી નથી પરંતુ ચાર લોકોને જિંદગી છીનવી લીધી અને લોકો ના ટોળા દ્વારા રોષ બતાવેલ તેવા લોકોની પોલીસે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરી છે. પરંતુ સીટી બસના સંચાલકો સામે પોલીસ હજી ગુનો નોંધવામાં ફીફા ખાંડે છે. ભાજપના પૂર્વ મહામંત્રી અને સીટી બસના ડ્રાઈવરો પૂરો પાડતા કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર ને બચાવવા માટે પૂરી સરકાર અને રાજકોટમાં આખું ભાજપ ઊભું રહી ગયું છે. પોલીસ એક્શનમાં છે નહીં. આરટીઓ દ્વારા તપાસ કરતા બસની બ્રેક ડાઉન હતી નહીં ભાજપની સરકાર આપણને બચાવશે કે નહીં તેની કોઈ ગેરેન્ટી નથી કારણ કે ટીઆરપી ગેમ ઝોન, વડોદરા નો હરણીકાંડ, સુરતનો તક્ષશિલા કાંડ, મોરબીનો ઝુલતો પુલ અને રાજકોટની સીટી બસની જે દુર્ઘટનાઓ ભાજપ સરકારની લાપરવાહી અને ભ્રષ્ટાચારી મળતીયાઓને લીધે બની છે. આ પ્રકારની બનતી ઘટનાઓમાં અધિકારીઓ નામ પૂરતા થોડા સમય જેલમાં રાખી ભાજપના આકાઓને બચાવવામાં આવે છે. ચાર રથ લોકો સમક્ષ આજે રાજકોટ શહેરમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરભરમાં ફરશે ભાજપને 30 વર્ષના સરકારને અમે ઉખાડીને ફેંકી શકીએ એમ નથી લોકોનો પૂરતો સાથ સહકાર જોઈશે ભાજપના ભ્રષ્ટાચારમાં લોહીના ગુણ થઈ ગયા છે. હવે હદ થાય છે લોકો જાગે સમજો અને નિર્ણય કરો અને લોકજાગૃતિ અર્થે જે રથ ફરશે તે દરેક વિધાનસભા 68, 69, 70 અને 71 તમામ વિસ્તારોમાં શેરી ગલીઓમાં અને મુખ્ય રસ્તા ઉપર ભાજપના ભ્રષ્ટાચાર ને લગતી પત્રિકા વિતરણ કરશે. આજે કોઈના ઘરે આજે અકસ્માત થયો નથી એવા પરિવારો પણ યાદ રાખે કે આગામી દિવસોમાં આપણો વારો ન આવે અને લોકો જાગૃત થઈ ભાજપને ઓળખે. દરેક રથ ફરશે તેમાં વોર્ડના પ્રમુખો, પ્રભારીઓ સાથે સંકલન કરી લોકોને જાગૃત કરશે. રાજકોટ શહેર એક હાદસાનું શહેર બની ગયું છે અને ગુજરાતમાં બનતી ઘટના એની સાક્ષી છે અને ગુજરાત પણ એક હાદસાનુ રાજ્ય છે. સરકારી તંત્ર ભ્રષ્ટાચારી ભાજપના ઘુટણીયે પડી ગયું છે અને ભાજપને ભ્રષ્ટાચારના પૈસા પહોંચાડે છે કોર્પોરેશન, પોલીસ બંને ભાજપના આકાઓને માટે કામ કરી રહી છે. ભાજપના આકાઓને બચાવવા માટે પોલીસ અને વહીવટી તંત્રને પાંગળુ બની ગયું છે
આજની પત્રકાર પરિષદમાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણી, સિનિયર કોંગ્રેસ આગેવાનો ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, દીપ્તિબેન સોલંકી, હિતેશભાઈ વોરા, યુનુસભાઇ જુણેજા, ડી પી મકવાણા, સંજયભાઈ અજુડીયા, અશોકસિંહ વાઘેલા, દિલીપભાઈ આસવાણી, પુનમબેન રાજપૂત, ગોપાલભાઈ અનડકટ, ગૌરવ પુજારા, રાજદીપસિંહ જાડેજા, તુષાર નંદાણી, અજીત વાંક, નયનાબા જાડેજા, પ્રતિમાબેન વ્યાસ, ચંદ્રિકાબેન વરાણીયા, જયાબેન ટાંક, હંસાબેન સાપરિયા, હાજીભાઇ ઓડિયા, યજ્ઞેશભાઇ દવે, કિંજલબેન જોશી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.