Abtak Media Google News

પત્ની અને માતા ઝઘડાથી કંટાળી 80 ફૂટ રોડ પર બિલ્ડીંગ ગ્રાઉન્ડમાં  એસિડ પી જીવન ટૂંકાવ્યું

શહેરના 80 ફૂટ રોડ પર આવેલ સુરભી પોસીબલ બીલ્ડીંગના ગ્રાઉન્ડમાં ફર્નિચરના ધંધાર્થીએ ગૃહ કંકાસથી કંટાળી એસિડ ગટગટાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. પોલીસ પૂછપરછમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, પત્ની અને માતા ઝઘડાથી કંટાળી યુવાને એસિડ પી જિંદગી ટૂંકાવી લીધી હતી.

બંવનીનવિગતો મુજબ વાવડીના આંગનપાર્ક સિટીમાં રહેતા દિવ્યેશ મનસુખભાઈ જેઠવા (ઉં.વ.32) ગઇકાલે સવારે  80 ફૂટ રોડ પર આવેલી સુરભી પોલીબલ બીલ્ડીંગના ગ્રાઉન્ડમાં એસિડ ગટગટાવી લેતા તે ત્યાં જ બેભાન થઈ જતાં તેને  લોકો દ્વારા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો પરંતુ અમદાવાદ પહોંચે તે પહેલાં જ તેને સારવાર દરમિયાન  દમ તોડી દીધો હતો.

બનાવની જાણ તાલુકા પોલીસને થતા સ્ટાફ સિવિલ હોસ્પીટલે દોડી ગયો હતો અને કાગળો કરી આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસને તપાસમાં  જાણવા મળ્યું હતું કે, મૃતક ફર્નિચરનું કામ કરતો હતો અને તેમના લગ્ન દોઢ વર્ષ પહેલા વિધીબેન નામની યુવતી સાથે થયા હતા. બાદમાં તેની માતા અને પત્નીના ઝઘડાથી કંટાળીને અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતક ચાર ભાઈ અને એક બહેનમાં નાનો હતો. બનાવથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.