Abtak Media Google News

સાધુ સમાજના ગરીબ પરિવારની વહારે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ આપશે બે લાખ રૂપીયા

દશનામ ગૌસ્વામી સમાજના આગેવાનો દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરાઈ છે કે કોડીનાર તાલુકા જાંત્રખડી ગામે માસૂમ પુત્રી પ્રથા  કૌશિકભાઇ ગોસ્વામીની જે ઘટના બની છે. રાજકોટના આંગણે સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહેલ યુવાનોના પ્રેરણા સ્ત્રોત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી  હર્ષ સંધવી ને કોડિનાર તાલુકાના જંત્રાખડી ગામે દશનામ ગૌસ્વામી સમાજની માસુમ કુમળી વયની 8 વર્ષની દિકરી પ્રથા કૌશિકગીરી મેધનાથી ઉપર દુષ્કર્મ આચરી ક્રૂરતા   પૂર્વક માસુમ બાળકીની હત્યા કરવામાં આવેલ તે દુષ્કર્મી હત્યારાને તાત્કાલિક ધોરણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ દાખલ કરી આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેમજ આ ઘટનાનો ભોગ બનનાર પરીવાર સરકારશ્રીના ધારાધોરણ મુજબ ન્યાય તાત્કાલિક મળે તેમજ સરકાર તરફથી આ પરીવારને આર્થિક સહાય મળી  રહે તેવી ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી  હર્ષ સંધવી  ને સૌરાષ્ટ્ર કચ્છ  રાજકોટ શહેર રાજકોટ ગ્રામ્યના ગૌસ્વામી  સમાજના આગેવાનો  અગ્રણીઓ સંતો મહંતો તથા રાજકોટ શહેર જિલ્લાના તમામ ગૌસ્વામી સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

સમગ્ર ગુજરાત અને દેશ માટે દુ:ખદ ઘટના છે. જેના સંદર્ભે સાધુ સમાજે રાજ્ય સરકારને રજૂઆત કરતા કરી ન્યાયની માગણી કરેલ છે. આવા સમયે એક ગરીબ પરિવારને સહાનુભૂતિ થવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ  ઉદયભાઇ કાનગડ એ રૂપિયા બે લાખની વ્યક્તિગત સહાયની જાહેરાત કરતા ગરીબ પરિવાર માટે રાહતની લાગણી જોવા મળી હતી આ સમયે  મંત્રી અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળિયા, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ મેયર પ્રદિપ ડવ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચડીયા તેમજ જીલ્લા મહાનગર ભાજપના પદાધિકારીઓ સહિતના હાજર હતા. ગોસ્વામીએ સમગ્ર સાધુ સમાજ   ઉદયભાઇ કાનગડનો આભાર માન્યો હતો સાથે સાથે સમગ્ર સાધુ સમાજ ઉપર આવી પડેલી આફતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર તાત્કાલિક ન્યાય આપશે તેવી ઉદયભાઇ કાનગડએ ખાતરી આપતા તેઓનો સાધુ સમાજ વતી ખુબ ખુબ આભાર  વ્યકત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.