Abtak Media Google News

લુખ્ખા તત્વોએ આશ્રમમાં તોડફોડ કરી આતંક મચાવ્યો  

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે કોદિયા રોડ ઉપર જૂની દ્રોણ કહેવાતા વિસ્તાર માં સૂર્યમુખી ખોડીયાર માતાજી નો આશ્રમ આવેલ છે. જ્યાં શ્યામગીરી ગુરુશ્રી અશોકગીરી નામ નાં આશરે 70 વર્ષના સાધુ રહે છે. તા. 24/04/2021 નાં રોજ ત્રણ આવારા તત્વો દારૂ પીય અને અખાદ્ય પદાર્થ આશ્રમ માં લઇ ને આવતા બાપુ દ્વારા આ ઈસમો ને આશ્રમ બહાર જવાનું કહેતા આ આવારા તત્વો દ્વારા જીવલેણ હુમલો કરી આ વૃદ્ધ સાધુ ને ખુબ માર મારેલ અને આશ્રમ ને તોડી પાડેલ છે. જેમાં આ સાધુ જેમ તેમ કરી ત્યાંથી પોતાનો જીવ બચાવવા નાશી જય પોલીસ ફરિયાદ નોંધાવેલ.

કાયદો એનું કામ કરશે જ પરંતુ કોઈ પણ નાના મોટા આશ્રમ માં આવા નિ:શહાય સાધુ ઉપર આવો ઝુલમ ગુજરવો એ અન્યાય છે. જેથી આપણે સૌ એ હિન્દુ ધર્મ ની આસ્થા નાં પ્રતીક સમા આશ્રમો તથા ધર્મ ની રક્ષા કરતા આવા સાધુઓ ની મદદ કરવી દરેક સમાજ ની ફરજ છે. તો આવા સાધુઓ અને આશ્રમ ને ક્ષતિ પહોચાડનાર રાક્ષસ વૃત્તિ નાં તત્વો ને યોગ્ય સજા મળે અને આવું કરનાર અન્ય ને પણ એમાંથી શીખ મળે તે માટે લડત માં સહિયોગ આપવા હિન્દુ યુવા સંગઠન ગીર ગઢડા દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.