Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

મંગળ ઉપર જઈ ‘મંગલ’ કરવા મસ્ક તૈયાર

રોજગાર મેળો: PM મોદી આજે યુવાનોને આપશે ભેટ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Abtak Special»બીનનિવાસી ભારતીયોને મતદાન અધિકાર જરૂર આપો પરંતુ સંઘર્ષ કરતા સ્થળાંતરીતોને કેમ વંચીત રખાયા!!
Abtak Special

બીનનિવાસી ભારતીયોને મતદાન અધિકાર જરૂર આપો પરંતુ સંઘર્ષ કરતા સ્થળાંતરીતોને કેમ વંચીત રખાયા!!

By Abtak Media03/12/20204 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

બીનનિવાસી ભારતીયોને મતદાન અધિકાર જરૂર આપો પરંતુ તે પૂર્વ જે સંઘર્ષ કરી રહ્યા છે. તેવા સ્થાળાંતરીતોને મતદાનનાં અધિકારથી વંચીત ન રહે તેની તકેદારી રાખવી લોકશાહી માટે જરૂરી છે.

વિશ્વ ની સૌથી મોટી લોકશાહી નું માન  ધરાવતા ભારત નું લોકતંત્ર સાત દાયકાની સફર વિતાવ્યા બાદ હવે”પરિપકવ લોકતંત્ર”ની વ્યાખ્યામાં આવી રહ્યું છે, તેવી સ્થિતિમાં આજે ભારતીય લોકતંત્ર માં એક-એક મત નીકિંમત હોય તે સ્વાભાવિક છે , ચૂંટણીમાં એક નહીં અનેક બેઠકો પર ખૂબ જ પાતળી સરસાઈ એટલે કે આંગળી ના વેઢે ગણી શકાય તેટલા મતોથી હાર જીત થાય છે ,આવી પાતળી સરસાઈ વાળી બેઠકો પરિણામ બદલ અને એકને રાજ્યોગ, તો બીજાને નજીવા મત ના અભાવે સત્તાથી વંચિત રાખી દે છે બીજા શબ્દોમાં કહીએ તો ચૂંટણીમાં હવે એક એક મતની કિંમત થવા લાગી છે, લોકતંત્રની પરિપકવતા એ પરિમાણો પર નિર્ભર હોય છે કે તેમાં મતદારો કેટલા ઉત્સાહ અને ટકાવારી થી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે સરકાર દ્વારા ભારતના લોકતંત્રને હવે વૈશ્વિક ફલક પર વધુ ને વધુ વિસ્તાર અને મૂળ ભારતીયો કે જે વિશ્વના વિવિધ દેશોમાં વસે છે અને આ સંખ્યા એક કરોડ અને ત્રીસલાખ જેટલી થવા જાય છે તેવા એન.આર.આઈ વર્ગ બિનનિવાસી ભારતીયો ચૂંટણીમાં પોતાના મતાધિકાર થી વંચિત ન રહે તે માટે સરકાર ઇલેક્ટ્રોવોટિંગ ની વ્યવસ્થા માટે તૈયારી કરી રહી છે ,,ભારતીય લોકતાંત્રિક પર્વ ચૂંટણીમાં વિવિધ દેશોમાં વસતા ભારતીયો મતદાન કરે તે માટે ગોઠવાયેલી વ્યવસ્થા ના આંતરરાષ્ટ્રીય માળખા માટેની તૈયારીઓના ભાગરૂપે જ્યાં ભારતીયોની વસતી હોય તેવા દેશોમાં ભારતના ચૂંટણી પ્રતિનિધિ નિમણૂક કરવાથી લઈને દરેક મતદાન ઇચ્છુક એન.આર.આઇ.ને ઘેરબેઠા ઇલેક્ટ્રો બેલેટ પેપર મળી રહે તેવી વ્યવસ્થા માટે સરકારે કવાયત હાથ ધરી છે ,જેની વિશ્વમાં નોંધ લેવાશે તેમાં બેમત નથી, પરંતુ વિશ્વમાં પથરાયેલા મૂળ ભારતીયોના મતાધિકાર માટેની આ કવાયત ની સાથે સાથે ભારતમાં સ્થાનિક ધોરણે રોજી રોટી અને અનેક સામાજીક આર્થિક કારણોસર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતરિત થયેલા કુલ મતદારોની ૩૦ ટકા જેટલી સંખ્યા પોતાના મૂળ વતનમાં ચૂંટણી વખતે હાજર ન રહી શકતા હોવાથી મતદાનથી વંચિત રહે છે આવા મતદારોની સંખ્યા હજારો નહીં પરંતુ લાખો માં હોય છે વળી દરેક ચૂંટણીમાં ઘણી એવી બેઠકો હોય છે કે જ્યાં ખૂબ જ પાતળી સરસાઇથી હાર-જીતનો ફેસલો થતો હોય છે તાજેતરમાં જ બિહારની ચૂંટણીમાં ખૂબ જ નજીવા મતદાનની હારજીત થી તેજસ્વી યાદવ મુખ્યમંત્રી પદથી વંચિત રહી ગયા લોકતાંત્રિક વ્યવસ્થામાં ચૂંટણીની પ્રક્રિયાને આદર્શ બનાવવા માટે દરેક મતદાર પોતાનો મતાધિકાર વાપરી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ કમનસીબી એ વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારતમાં છેવાડાના નાગરિકો આર્થિક પછાત, ગરીબ, વંચિતો વિસ્થાપિતો કે જે લોકો લોકતાંત્રિક વ્યવસ્થાના આધાર ગણાય તેવા નાગરિકો એક યા બીજી રીતે મતદાનથી વંચિત રહી જાય છે, આ પ્રતિકૂળ પરિબળોના કારણે ઘણા નઠારા અને પ્રજા વિરોધી માનસિકતા ધરાવતા તત્વો ચૂંટણીમાં ફાવી જાય છે, લોકતંત્રના મૂળાધાર એવા  વંચીત પછાત અને છેવાડાના મતદારોને લોકતંત્રના મહાપર્વમાં ક્યારેક-કરેક વંચિત રાખી દેવાતા હોય તેવી સ્થિતિમાંજ્યારે ચૂંટણી પંચ વિશ્વમાં વસતા એક કરોડ ૩/ત્રીસલાખ જેટલા બિનનિવાસી ભારતીયો ના મતદાનની વ્યવસ્થા માટે કવાયત કરી રહ્યું છે ત્યારે ભારતમાં જ રોજી રોટી અને આર્થિક સામાજિક કારણોસર પોતાના વતન અને મતક્ષેત્રથી દૂર વસતા વિસ્થાપિતો માટે મતદાનની વ્યવસ્થા કરવી જોઈએ, અત્યારે “પગમાં બળતું હોય ત્યાં જોવાના બદલે ડુંગરે દવ ઠાંરવા ની તાલાવેલી” જેવી ચૂંટણીપંચની કવાયતમાં પરદેશમાં વસતા ભારતીયો માટે મતદાનની વ્યવસ્થા ની કવાયત “ઘરના ઘંટી ચાટે અને પાડોશીને આટો” જેવી સ્થિતિ ગણાય ભારતમાં  વિસ્થાપિત મતદારોની સંખ્યા ૩૦ ટકા જેટલી થવા જાય છે ચૂંટણીમાં બે થી પાંચ ટકા જેટલા મ્તો વિજય પરાજય ના નિમિત્ત બનતાં હોય તેવા સંજોગોમાં કુલ મતદારોની ૩૦ ટકા જેટલી જનસંખ્યા મતદાનથી વંચિત રહેતી હોય તે લોકતંત્રના આદર્શ વાદમાટે ખતરાની ઘંટડી ગણાય ,ચૂંટણીમાં ગેરબંધારણીય રીતે અવરોધો ઊભા કરીને પરિણામો ફેરવી નાખનારપરિબળો પોતાના વિરોધી મતદારોને એક યા બીજી રીતે મતદાન કરવા થી દૂર રાખવાના નકારાત્મક રાજકારણ ખેલતા હોય છે,, આવા સંજોગોમાં પાતળી સરસાઈથી વિજય પરાજય નક્કી થતો હોય તેવા સંજોગોમાં લોકતંત્રના મૂળાધાર એવા  ગરીબ, વંચિત અને આ વિસ્થાપિતો વતનથી દૂર રોજીરોટી માટે ગયેલા લોકોને મતદાન થી વિમુખ રાખવામાંં આવે છે અને ખૂબ જ પાતળી સરસાઇથી પરિણામ અણધાર્યા વળાંક લે છે,,તેવા સંજોગોમાં જો વતનથી દૂર પરપ્રાંત અને બીજા રાજ્યોમાં રોજીરોટી માટે વસેલા મતદારોને જો મતદાનની વ્યવસ્થા પ્રદાન કરવામાં આવે તો લોકશાહી  નો મર્મ ખરા અર્થમાં યથાર્થ ઠરે અને આદર્શશ લોકશાહી નીી પરિકલ્પના પૂર્ણ થશે

ALSO READ  સ્થિતપ્રજ્ઞ થવાનો સત્પ્રયાસ એટલે વિપશ્યના
abtak special Election NRI national news voting
Share. Facebook Twitter WhatsApp
Previous Articleજેતપુરમાં ‘ગરીબોના હક્ક’ના અનાજનું બારોબાર વેંચાણ!!
Next Article બહુમુખી પ્રતિભા ધરાવનાર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ
Abtak Media
  • Website

Related Posts

ખાલીસ્તાન અને તેના સમર્થક ટ્રુડોને એક પછી એક ફટકા!

25/09/2023

ભારતના 6 લાખ ગામડાઓને જળ, ઉર્જા, રોજગારી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું અભિયાન એટલે મોડેલ ગામની પરિકલ્પના

25/09/2023

શું સપના વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે? આજે વિશ્વ સપના દિવસ

25/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

26/09/2023

મંગળ ઉપર જઈ ‘મંગલ’ કરવા મસ્ક તૈયાર

26/09/2023

રોજગાર મેળો: PM મોદી આજે યુવાનોને આપશે ભેટ

26/09/2023

ક્રિકેટ રસીકો આનંદો: કાલે રાજકોટમાં વરસાદની શક્યતા નહિવત

26/09/2023

જામનગરમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ કરતા મોત

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

મંગળ ઉપર જઈ ‘મંગલ’ કરવા મસ્ક તૈયાર

રોજગાર મેળો: PM મોદી આજે યુવાનોને આપશે ભેટ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.