Abtak Media Google News

અબતક, રાજકોટ

ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે આજે ભાજપની એક દિવસની કાર્યકારીણી બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સ્થાને વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી રહેવા પામી હતી. આજની કાર્યકારીણી બેઠકમાં વિવિધ રાજકીય ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.

પ્રદેશ ભાજપની એક દિવસની કાર્યકારીણીમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી કેન્દ્ર સ્થાને: વિવિધ રાજકીય ઠરાવો પસાર કરાયા

આ તકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પેજ સમીતી શું છે અને આવનારી દરેક ચૂંટણીમાં પેજ કમીટી કેવી રીતે ઉપયોગી સાબીત થશે તે અંગે ભવિષ્યમાં ખ્યાલ આવશે. જો પેજ સમીતીનો યોગ્ય ઉપયોગ કરશો તો ચોક્કસ ચૂંટણી જીતવામાં સફળતા મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની દરેક યોજનાનો લાભ ખરા લાભાર્થીને મળે તે માટે પુરતા પ્રયત્ન કરવા તેઓએ કાર્યકરોને હાકલ કરી હતી. સાથે સાથે ઉમેર્યું હતું કે, ભાજપના કાર્યકરો હવે મંત્રીઓને દિવાળીની શુભકામના આપવા માટે ન જાય પરંતુ કોઈ કામ હોય તો ચોકક્સ જાય.

દરેક કાર્યકર પોતાને ટિકિટ મળવાની છે તે રીતે કામ કરવાનું શરૂ કરી દે અને સંકલ્પ કરે કે આપણે જીતીશું અને જીતાડીશું. સરકારની યોજનાઓનો લાભ જો લાભાર્થીને મળશે તો ચોક્કસ તે વ્યક્તિ પક્ષ સાથે મજબૂતાઈથી ઉભો રહેશે.

કોંગ્રેસના કાર્યકરોને કોઈ આવકાર મળતો નથી. જ્યારે ભાજપનો કાર્યકર જ્યારે પેજ સમીતી બનાવવા માટે લોકો પાસે જાય તો તેને પુરતું માન સન્માન આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નામ અને એમણે કરેલા પ્રજાકીય કામો જ આપણને ચૂંટણીમાં મત અપાવી દે છે. રાજ્યમાં ભિક્ષુકો દૂર કરવા માટે સરકાર મોટા પ્રયત્નો કરી રહી છે.

આજે મળેલી ભાજપની કાર્યકારીણીમાં વિવિધ રાજકીય પ્રસ્તાવ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેને પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયાએ રાજકીય પ્રસ્તાવને કારોબારીમાં પારિત કરાવ્યો હતો.આજે કારોબારી બેઠકમાં   વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના દૃઢ અને મજબૂત નેતૃત્વ હેઠળ, ભારતે માત્ર 278 દિવસમાં (કુલ 41 લાખ માનવ-દિવસ કામ કરીને) 110 કરોડ રસીકરણનો સીમાચિહ્ન પાર કર્યો છે. આ સિદ્ધિ ભારતની છે, ભારતના દરેક નાગરિકની છે.

કુલ રૂ. 64,000 કરોડના રોકાણને અમલમાં મૂકીને ભારતના 130 કરોડ નાગરિકોની જીવન સુરક્ષા માટે રક્ષક તરીકે 27 ઓક્ટોબરે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શરૂ કરવામાં આવ્યું છે. આયુષ્માન ભારત યોજનાએ દેશના દરેક ગરીબને સ્વાસ્થ્યની ચિંતાઓથી મુક્ત બનાવ્યો છે. દેશમાં ફિટ ઈન્ડિયાને એક જન-આંદોલન બનાવવામાં આવ્યું છે. જન ઔષધિ યોજના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 75,000 થી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. દેશમાં અનેક રોગોની રસી આવતાં ઘણા વર્ષો લાગ્યાં હતા. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં દેશના વેજ્ઞાનિકોએ રાત-દિવસ મહેનત કરીને શોધેલી રસીનો વિરોધ કરવાનું દુષ્કૃત્ય વિરોધી પક્ષોએ કરીને દેશના વેજ્ઞાનિકોનું અને આત્મનિર્ભર ભારત સંકલ્પનું અપમાન કર્યું છે, જેને આ ભાજપની પ્રદેશ કારોબારી વખોડે છે.

સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોમાંથી ભારતની જનતાને રાહત આપવા માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકારે પેટ્રોલમાં રૂ. 5 (પાંચ) અને ડીઝલમાં રૂ.10 (દસ)નો ઘટાડો કર્યો છે. કોંગ્રેસ અને અન્ય પક્ષો ગુજરાત સહિત ભાજપ શાસિત રાજ્યોએ પોતાના રાજ્યનો વેટ ઘટાડીને લોકોને મોટી રાહત આપી દેશની જનતાના દિલ જીતી લીધા.  જનતા વિરોધી વેટમાં ઘટાડો ન કરનારા આ કૃત્યને પ્રદેશ ભાજપાની આ કારોબારી વખોડે છે.

વસુદેવ કુટુંબકમના વિચારથી ભારતનું માન સમગ્ર વિશ્વમાં વધારી રહ્યા છે ત્યારે કોંગ્રેસ આવનારી રાજયોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી તૃષ્ટિકરણની આદત પ્રમાણે હિન્દુત્વ પર આકરા પ્રહાર કરી રહી છે. કોંગ્રેસના જ એક સિનિયર આગેવાને તેમના પુસ્તકમાં હિન્દુ ધર્મને બોકોહરામ અને ઈંજઈંજ સંગઠન સાથે સરખાવી સમગ્ર હિન્દુ સમાજની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ભાજપાની આ પ્રદેશ કારોબારી કોંગ્રેસના આ હિન્દુ વિરોધી માનસિકતાને સખત શબ્દોમાં વખોડે છે.

કોરોનાના સમયગાળા દરમિયાન ગરીબ કલ્યાણ-કોરોનાના પડકાર દરમિયાન પણ આપણા વડાપ્રધાન  નરેન્દ્ર મોદીજીનું એક જ ધ્યેય હતું, માત્ર એક જ સંકલ્પ હતો કે, કોઈ ગરીબ કે કોઈ મજૂર ભૂખ્યો ન સૂવે. દરેક જરૂરિયાતમંદ સુધી જરૂરી અનાજ પહોંચાડવા માટે, તેમણે વિશ્વનું સૌથી મોટું રાશન વિતરણ અભિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કર્યું, જે અંતર્ગત દેશના લગભગ 80 કરોડ લોકોને મફત રાશન સામગ્રી પ્રદાન કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મહિલા જન-ધન ખાતાધારકો, દીવ્યાંગો, વિધવાઓ અને વૃદ્ધોને આર્થિક સહાય આપવામાં આવી હતી.

આ સાથે મહિલા સ્વ-સહાય જૂથો, શેરી વિક્રેતાઓ અને પરપ્રાંતિય મજૂરોને પણ મદદ કરવામાં આવી હતી. કોરોના સમયગાળા દરમિયાન ગરીબ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર પણ આપવામાં આવ્યા હતા. કોરોનાથી અનાથ બાળકોની સંભાળ લેવાનું પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન અભિયાન હોય કે ગરીબ કલ્યાણ રોજગાર યોજનાનું અમલીકરણ હોય કે પરપ્રાંતિય મજૂરોના કલ્યાણ માટે એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ હોય, દરેક અભિયાને સંવેદનશીલતા વધારી છે. જેને પ્રદેશ ભાજપાની આ કારોબારી આવકારે છે.

સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાયું છે. ગૃહમંત્રી અમીતભાઈ શાહે કલમ 370 હટાવ્યા પછી, જમ્મુ અને કાશ્મીરમાં ઇઉઈ અને ઉઉઈની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રહી અને ત્યાંના લોકોએ નિર્ભયપણે લોકશાહીના પર્વમાં તેમની ભાગીદારી આપી. છેલ્લા બે વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં 56,261 કરોડ રૂપિયાના 54 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા. રૂ. 28,400 કરોડની ઉદ્યોગ પ્રોત્સાહન યોજના જાન્યુઆરી-2021માં શરૂ કરવામાં આવી. અગાઉ વર્ષ 2020માં જમ્મુ-કાશ્મીર માટે રૂ. 80,000 કરોડનું વિશેષ પેકેજ આપવામાં આવ્યું. જમ્મુ અને કાશ્મીરમાં, 100 ટકા લોકોને આયુષ્માન ભારત યોજના હેઠળ લાવીને તેમની સ્વાસ્થ્યની ચિંતાઓથી મુક્ત કરવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ આતંકવાદી ઘટનાઓમાં ભારે ઘટાડો થયો છે અને આ ઘટનાઓમાં મૃત્યુઆંક પણ નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે. વર્ષ 2004 થી 2014ની વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 2,081 લોકોના મોત થયા હતા. જ્યારે વર્ષ 2014 થી સપ્ટેમ્બર-2021 સુધીમાં 239 નાગરિકોનાં મૃત્યુ થયા હતા. આઝાદી પછી કોંગ્રેસની નીતિને કારણે જે કાશ્મીર સતત સળગતું રહતું હતું તે કાશ્મીરમાં શાંતિ સ્થાપીને વિકાસની મુખ્યધારામાં જોડવાના આ કાર્યને પ્રદેશ ભાજપની આ કારોબારી આવકારે છે.

કોંગ્રેસની ખેડૂત વિરોધી નીતિને કારણે ભૂતકાળમાં આઝાદીના 70 વર્ષમાં ખેડૂતો માટે જે ન થયું તે  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 7 વર્ષમાં કૃષિ અને ખેડૂતો માટે કામ થયું છે. વડાપ્રધાનશ્રીએ એમએસપીમાં દોઢ ગણો વધારો, નાના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા, સમગ્ર વિશ્વમાં ખાતર પરની સબસિડીમાં વધારો કરવાનું અને ખેડૂતોને આપવાનું પ્રશંસનીય કાર્ય કર્યું. સૌર ઉર્જા સંબંધિત યોજનાઓ, દરેક ખેતર સુધી પાણી પહોંચાડવાની પહેલ, એફપીઓની રચના, આ તમામ પ્રયાસોથી ખેડૂતોની આવક બમણી કરવાની સાર્થક પહેલ થઈ છે. તાજેતરમાં, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નવા પાકોની 35 જાતો રાષ્ટ્રને સમર્પિત કરી છે. કિસાન રેલ દેશના 70 થી વધુ રેલ માર્ગો પર ચાલી રહી છે. કિસાન સન્માન નિધિ હેઠળ, 9 હપ્તામાં 1.53 લાખ કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. એનિમલ એમ્બ્યુલન્સને પશુપાલકોના ઘર સુધી લઈ જવા માટે મોદી સરકાર દ્વારા રૂ. 58 હજાર કરોડનો પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે. ખેડૂતોના હિતમાં લીધેલા આ નિર્ણયોને પ્રદેશ ભાજપાની આ કારોબારી આવકારે છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને હવે દેશના વડાપ્રધાન તરીકે, ભારતીય શાસનના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ચૂંટાયેલા વડા તરીકે, કાર્ય કરનાર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સામે 20 વર્ષમાં એક પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી તેમજ તેમને એક પણ દિવસની રજા કે વેકેશન લીધેલ નથી. સેવા અને સમર્પણના ભાવથી કાર્ય કરેલ છે. ભાજપા  વડાપ્રધાન મોદીજીના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવે છે. આ વખતે દેશભરમાં 20 દિવસ માટે સેવા અને સમર્પણ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત રસીકરણને વેગ આપવામાં આવ્યો, રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને વિનામૂલ્યે રાશનનું વિતરણ કરવા જેવા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યાં.

આસામ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ એમ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રશંસનીય પ્રદર્શન કર્યું. બિહારમાં, જ્યાં એનડીએ સરકારની રચના થઈ હતી અને ભાજપનો શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ હતો. પશ્ચિમ બંગાળમાં, ભાજપે 02 થી 77 વિધાનસભા સભ્યોનો પ્રવાસ કર્યો અને રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી બની. આસામમાં ફરીથી સંપૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. તો પુડુચેરીમાં પણ જનતાએ આપણને પૂર્ણ જનાદેશ આપ્યો અને પહેલીવાર એનડીએની સરકાર બની. આ ઉપરાંત ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજયોની ચૂંટણીઓમાં 85 ટકા કરતા વધારે બેઠકોથી ભાજપને શાનદાર જીત મળી. ઈતિહાસમાં પ્રથમ વખત ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપાનો ભવ્ય વિજય થયો. આ ચૂંટણીઓની જીત દર્શાવે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની લોકપ્રિયતામાં ઉત્તરોતર વધારો થયો છે તેમજ કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર અને આપણા દ્વારા સંચાલિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સતત લોકોના વિશ્વાસ પર ખરી ઉતરી છે. પેજ સમિતિ સુધીના સશક્ત સંગઠનને કારણે ગુજરાતની અંદર ભાજપાએ તમામ વિરોધીઓને તમામ મોરચે પરાસ્ત કરીને જનતા જનાર્દનના આશીર્વાદ મેળવ્યા છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સફળતાના નવા આયામો સર્જી રહ્યું છે ત્યારે વિપક્ષ માત્ર અને માત્ર અસીમ નફરતની માનસિકતા સાથે કામ કરી રહ્યો છે. જ્યારે ભારત પોતાના વડાપ્રધાનના નેતૃત્વમાં સ્વદેશી રસીઓ, રસીકરણ અને જનભાગીદારી દ્વારા દેશવાસીઓ માટે એક મજબૂત રક્ષણાત્મક કવચ તૈયાર કરવામાં વ્યસ્ત હતું, ત્યારે વિપક્ષ આ કોરોના મહામારી સામે રસીકરણ અભિયાનને પાટા પરથી ઉતારવાનો કાવતરાં ઘડીને તેના પ્રચારમાં વ્યસ્ત હતો. ભારતીય જનતા પાર્ટીની આ કાર્યકારી સમિતિ વિપક્ષની બેજવાબદાર અને નબળી માનસિકતાની સખત નિંદા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.