Abtak Media Google News

યુધ્ધ એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા ૩૦૦૦ માસ્કનું વિતરણ

ગોંડલમાં યુધ્ધ એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા સંજય ભાદાણીની  ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે  શ્વાનોને ૭૦૦ કિલોથી પણ વધુ લાડવા ખવડાવવામાં આવ્યા હતા તેમજ કોરોના મહામારી ને ધ્યાને લઇ ૩૦૦૦ થી વધુ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું મુંગા પશુઓને લીલો ઘાસચારો પક્ષીઓને ચણ સાથોસાથ એક હજારથી પણ વધુ પક્ષીના માળા નું વિતરણ કરાયું હતું માંડવી ચોક ખાતે ચાલતા અન્નક્ષેત્રમાં આવતા ભુખ્યાઓને ભાવતા ભોજન પીરસવામાં આવ્યા હતા યુવાનોને આ સેવાકીય કાર્ય નું માર્ગદર્શન યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલભાઇ દોંગા દ્વારા પુરૂં પાડવામાં આવ્યું હતું આ તકે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ગોંડલ વેપારી એસોસીએશન પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, માર્કેટિંગ યાર્ડ દલાલ મંડળ પ્રમુખ મુકેશભાઈ સતાસિયા, મનસુખભાઈ પોકિયા, હિતેશભાઈ સાવલિયા, સોની સમાજના આગેવાન લલીતભાઈ જડીયા બ્રહ્મસમાજ અગ્રણી હિતેશભાઈ રાવલ, જીતુભાઈ આચાર્ય તેમજ પીન્ટુભાઇ ચુડાસમા, પરેશભાઈ વાડોદરિયા, શ્યામલ ભાઈ દોંગા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.