Abtak Media Google News

ગોંડલ તાલુકાના વાછરા ગામે કુવો ગાળવા માટે જોવા માટે ના પાડતા યુવકની ખેડુત સહિત ત્રણ શખ્સોએ ધોલાઈ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

વધુ વિગત મુજબ મૂળ રાજસ્થાનના પાલી ગામનો વતની અને હાલ ગોંડલ તાલુકાના વાછરા ગામે ગિરધરભાઈ વાછાણીની વાડીમાં રહી કુવો ગાળવાનું કામ કરતા શેલારામ બીજારામ સોલંકી નામના શ્રમિકે જેન્તી રવજી મકવાણા અને બે અજાણ્યા શખ્સોએ મારમાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જેન્તી મકવાણા નામના શખ્સને પોતાની વાડીએ કુવો ગાળવો હોય આથી તેઓ શેલારામ સોલાકી ને કહેલ કે ચાલો મારી વાડીએ ત્યારે શેલારામ સોલંકીએ કહ્યું કે રાત પડી ગઈ છે. અને સવારે આવીશ તેમ કહેતા અરોપી જેન્તી મકવાણાને સારૂ ન લાગતા આથી બોલાચાલી કરી બે અજાણ્યા શખ્સો મળી મારમાર્યાનું જણાવ્યું હતુ.

પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.