Abtak Media Google News

પાણી પહેલા પાળ બાંધવી હિતાવહ

ઘાતકી સાબિત થયેલી કોરોનાની બીજી લહેર જેવી સ્થિતિ કદાપી ઉભી ન થાય તે માટે આગોતરૂ આયોજન

રેમડેસિવિર, ટોસીલીઝુમ્બ, ફુગ માટેની એમ્ફોટેરીસીન-બી સહિતની દવાઓનો જથ્થો યોગ્ય માત્રામાં એકત્રિત કરી લેવાયો

કહેવાય છે ને કે પાણી પહેલા પાળ બાંધવી સમજદારી અને હિતાવહ પણ છે…!! કોરોનાએ સમગ્ર વિશ્વને બાનમાં લઇ હચમચાવી દીધું છે. કેટલાક દેશો ત્રીજી તો કેટલાક દેશો ચોથી લહેરમાં સપડાયા છે. બીજી લહેરમાં ભારતમાં કેવા કેવા દ્રશ્યો સર્જાયા હતા એ યાદ કરી તો કંપી ઊઠી જવાય છે. રેમડેસીવીરની રામાયણ, ઈન્જેકશન તેમજ ઓક્સિજન માટે ભાગદોડ જેવી સ્થિતિ હવે ફરી ક્યારેય ઊભી ના થાય તે માટે સરકારે આગોતરુ આયોજન કરવા કવાયત હાથ ધરી છે. હવે સંભવિત ત્રીજી લહેર આવે કે ના આવે પરંતુ સ્વાસ્થ્ય કટોકટી ન સર્જાય તે માટે સરકાર સજ્જ બની છે અને આ માટે જરૂરી તમામ દવાઓનો જથ્થો એકત્રિત કરવા જુટાઈ છે.

એન્ટી-વાયરલ સહિત 15-ઓડ દવાઓનો બફર સ્ટોક તેમજ રેમડેસિવીર, કી એન્ટિબાયોટિક્સ ટોસીલીઝુમાબ, અને કળી ફૂગની દવા ઇન્ફોટેરિસીન-બીનો જથ્થો એકત્રિત કરી લેવાયો છે. સંભવિત ત્રીજી લહેર આવે તો પણ મોટા પાયે અછતને અટકાવી શકે છે.

સંબધિત અધિકારીએ જણાવ્યું કે આ વર્ષે એપ્રિલ-જૂનમાં ક્રૂર બીજી તરંગ દરમિયાન રેમડેસિવીર, ટોસીલીઝુમાબ, કી એન્ટિબાયોટિક્સ અને આઈસીયુ દવાઓની અછત જોવા મળી. સ્ટોક-આઉટના કારણે દેશભરમાં રેમડેસિવીર અને ટોકિલિઝુમાબ જેવી કેટલીક દવાઓના ભાવમાં કાળાબજાર અને મોટા પ્રમાણમાં વધારો થયો હતો, જેણે સામાન્ય માણસને ગંભીર અસર કરી હતી. પરંતુ હવે આ અટકાવવા સરકારે આગોતરું આયોજન શરૂ કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.