Abtak Media Google News

ભાવનગર  આંબેડકર યુનિવર્સિટીના ડિસ્ટન્સ લર્નિંગના સહકારથી શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે તા.૨૪ ઓગસ્ટનાં રોજ જાગ્રત વાલી તાલીમ યોજવામાં આવી. જેમાં ૨૦  વાલીઓએ ડોક્ટર  પ્રકાશ ભાઈ ભટ્ટ પાસેથી માનવ શરીરની રચના અંગે માહિતી મેળવી હતી. સવિશેષ કોરોના મહામારીમાં વ્યક્તિગત જાગૃતિથી માહિતગાર થયા હતા.

આ પ્રસંગે સંસ્થા દ્વારા તમામ વાલીઓને બાળચિત્રનું કેલેન્ડર અને માર્ગદર્શક પુસ્તકો આપવામાં આવેલ. બાલમંદિરના શિક્ષક અંકિતાબેન ભટ્ટ દ્વારા સંચાલિત કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર આશાબેન બોરીચા તથા પ્રીતિબેન ભટ્ટના જન્મદિવસ ઉજવવામાં આવ્યો. અંતમાં સૌનો આભાર અને અલ્પાહારથી કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.