Abtak Media Google News

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં મિશન લાઇફનું લોન્ચિંગ કરતા વડાપ્રઘાન નરેન્દ્ર મોદી : યુએનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ,એકતા નગર કેવડિયા ખાતે લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુએનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં મિશન લાઇફનું લોન્ચિંગ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું.

મોદીએ જણાવ્યું કે, યુએનના મહાસચિવ એન્ટોનિયાજી માટે ભારત તો બીજા ઘર જેવું છે. તેમણે યુવા અવસ્થામાં ઘણી વખત ભારતનો પ્રવાસ કર્યો છે. ગોવા સાથે તેમના પારિવારીક સબંધો છે. મિશન લાઇફના લોન્ચિંગના કાર્યક્રમ પછી અનેક દેશ આ સંકલ્પ સાથે જોડાશે. કલાઇમેન્ટ ચેન્જની સફળતમાં યુનિટી મોટુ ફેકટર છે. આ કાર્યક્રમનું ગુજરાતમાં આયોજન થયું છે જેમાં ગુજરાત એ રાજયોમાં સમાવેશ થાયો છે જેને સૌથી પહેલા રીન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ પ્રોટેકશનની દિશામાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. નહેરના સોલર પેનલ લાગવવાની હોય કે સુકાભટ વિસ્તારોમાં જળસ્તર વઘારવા વોટર ક્ધઝર્વેશનનું અભિયાનમાં ગુજરાત હમેંશા અગ્રેસર રહ્યુ છે.

ક્લાઇમેટ ચેન્જથી થઇ રહેલો બદલાવ લોકો પણ તેમની નજીક મહેસુસ કરી રહ્યા છે. આજે ગ્લેશિયર ઓગળી રહ્યા છે,સમુદ્રનું જળસ્તર વઘી રહ્યુ છે,આપણી નદીઓ સુકાઇ રહી છે. વાતાવરણ પણ અનિશ્ચિત થઇ રહ્યો છે જેનો બદલાવ લોકોને વિચારવા મજબૂર કરી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જના મુદ્દાને માત્ર પોલીસી મેકિંગના લેવલ પર ન મુકી રખાય, એક વ્યકિત, એક પરિવાર,એક સમુહએ ક્લાઇમેટ ચેન્જ વિષય પર કોઇને કોઇ જવાબદારી લેવી જ જોઇએ કે પૃથ્વીની સુરક્ષા કેવી રીતે કરાય. મિશન લાઇફ આ ધરતીની સુરક્ષા માટે જન જનની શક્તિઓને જોડે છે. મિશન લાઇફ ક્લાઇમેટ ચેન્જ થકી પર્યાવરણ મુદ્દે પરિવર્તન કરવાનો વિસ્તાર કરી રહ્ય છીએ. મિશન લાઇફથી પ્રેરણા આપશે કે નાના-નાના પ્રયત્નોથી મોટુ પરિવર્તન કરી શકાય છે.પોતાની લાઇફમાં પરિવર્તન કરીને એન્વાયરમેન્ટની રક્ષા કરી શકાય છે મિશન લાઈફમાં દરેક વ્યક્તિ યોગદાન આપી શકે છે. ભૂતકાળમાંથી શીખીને સારા ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ,ભારતે એલઇડી બલ્બના માધ્યમે પ્રદુષણ ઘટાડ્યુ. આજે ભારતમાં વર્ષમાં પ્રતિ વ્યકિત કાર્બન ફૂટપ્રિન્ટ અંદાજે દોઢ ટન છે તો દુનિયામાં આશરે 4 ટન પ્રતિ વર્ષ છે. ભારતે ઉજ્વલા યોજનાથી કોયલા અને લાકડાથી થતા ઘૂમાડાથી મુક્તિ મળે.આઝાદીના અમૃત સમયે 75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન શરૂ કર્યુ છે. ભારત ગ્રીન એનર્જી પણ ચોથા નંબરે છે, તો સોલર એનર્જીમાં પાંચમાં નંબરે છે. પાછલા 7 થી 8 વર્ષોમાં ભારતની રિન્યુઅલ એનર્જની ક્ષમતા 290 ટકા વધી છે. આજે સંયુકત રાષ્ટ્રના સમર્થનને કારણે દુનિયાના કોરોડો લોકોના સ્વસ્થ્ય જીવનની પ્રેરણા યોગ આપે છે. જે પ્રકૃતિની રક્ષા કરે છે પ્રકૃતિ તેની રક્ષા કરે છે.

મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ કલાયમેન્ટ ચેન્જ વિભાગની શરૂઆત કરી છે : ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું જે જ્યારે મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યારે વર્ષ 2009માં  ગુજરાત એશિયાનું પહેલુ રાજય હતું કે જેને ક્લાઇમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરી હતી. રાજયમાં કેનાલ ટોપ સોલર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યું અને ચારણકામાં 730 મેગાવોટના સોલર પ્લાન્ટની સ્થાપના થઇ. રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગુજરાતે દેશમાં સૌથી વઘુ ચાર લાખથી વઘારે ઘરોને સોલાર રૂફટોપ ઇનસ્ટોલેશન સાથે કરવા કર્યું છે.  આજનો આ વૈશ્વિક મિશન 21મી સદીનું સૌથી મોટુ પર્યાવરણ આંદોલન બનશે.

ક્લાયમેન્ટ ચેન્જ સામે સૌએ સાથે મળીને લડવું જોઈએ : એન્ટોનિયા ગુટેરેસ

યુએનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે સંબોધન કરતા જણાવ્યું કે, પર્યાવરણ જીવનશૈલી અંગેની શરૂઆત માટે તેમજ ક્લાઇમેટ ચેન્જ એ વિશ્વની મોટી સમસ્યા છે જેના નિવારણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત રીતે તેમજ સામુહિક રીતે આપણે સૌએ સાથે મળી કામ કરવું પડશે. પર્યાવરણનો યોગ્ય ઉપયોગ થાયે તે ખૂબ મહત્વનું છે. પર્યાવરણમાં થતા પ્રદુષણ કેવી રીતે અટકાવવું તે અંગે પણ કામ થાય તે જરૂર છે. વેસ્ટ પ્લાસ્ટિકનો રી યુઝ. ક્લીન કુકીંગ ટેક્નોલોજી, રીન્યુએબલ એનર્જી ના ઉપયોગ થાય તે જરૂરી છે. વિશ્વના લોકોને હરિયાળી જીવનશૈલી મળે તે માટે પ્રયાસ કરવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.